SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ગુરુદેવે પ્રાણન્ના કરી ક્યારેક ખાવા મળે છે, ક્યારેક નથી મળતું. ક્યારેક પાણી પીવા મળે છે. ક્યારેક નથી મળતું... ક્યારેક સૂવાનું મળે છે. ક્યારેક નથી મળતું... આ રીતે રખડતો ને રઝળતો કુમારપાલ... એક દિવસ ખંભાત નજીક પહોંચી ગયો. સિદ્ધરાજના સૈનિકોથી સતત બચવાનો પ્રયત્ન કરતો કુમારપાલ ખંભાતના દરવાજામાં પ્રવેશ કરે છે. ધીરે ધીરે તે રાજમાર્ગ પર ચાલ્યો જાય છે. અને એક ભવ્ય જિનમંદિરની સામે ઓટલા પર વિશ્રામ કરવા બેસે છે. ત્યાં એના જાણવામાં આવ્યું કે ‘આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરિજી અહીં કોઈ ઉપાશ્રયમાં રહેલા છે.’ તે પૂછતો પૂછતો ઉપાશ્રયે પહોંચ્યો. જ્યારે કુમારપાલ ઉપાશ્રયમાં ગયો ત્યારે ત્યાં ગુરુદેવની પાસે કોઈ સ્ત્રી-પુરુષ ન હતાં. કુમારપાલને નિરાંત થઈ. તેણે ઉપાશ્રયમાં પ્રવેશીને આચાર્યદેવને વંદના કરી. આચાર્યદેવે કુમારપાલને ઓળખી લીધો ! ‘ધર્મલાભ’ના આશીર્વાદ આપ્યા. કુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપ જ્ઞાની છો. ભૂત-ભાવિ અને વર્તમાન, ત્રણે કાળના જ્ઞાતા છો. પ્રભુ ! રાજાના ઘરમાં જન્મ લેવા છતાં આજે વનવન ભટકું છું. આડું છું. આપ કૃપાવંત છો, મને કહો કે આ અસહ્ય દુઃખોનો અંત ક્યારે આવશે ? મારા પ્રારબ્ધમાં સુખ છે કે નહીં ?' આચાર્યદેવ ધ્યાનસ્થ બન્યા. તેમને દેવી અંબિકાના શબ્દો યાદ આવ્યા. તેમણે આંખો ખોલી... કુમારપાલ સામે જોયું... ત્યાં જ ઉપાશ્રયમાં મહામંત્રી ઉદયને પ્રવેશ કર્યો. આચાર્યદેવ મૌન રહ્યાં. મહામંત્રીએ વંદના કરી અને ગુરુદેવ પાસે બેઠા. ગુરુદેવે કુમારપાલને કહ્યું, ‘વત્સ, તને થોડા સમય પછી રાજ્ય મળશે ! તું આ ગુજરાતનો રાજા બનીશ !’ €0 Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy