SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રસૂરિજી સાથે કુમારપાલની આ પહેલી મુલાકાત હતી. કુમારપાલના હૃદયમાં ઘણી ખુશી થઈ હતી. હેમચન્દ્રસૂરિજીને ખ્યાલ આવી ગયો હતો કે કુમારપાલ, સિદ્ધરાજના મૃત્યુ પછી ગુજરાતનો રાજા બને, આ વાત સિદ્ધરાજને જરાય નથી ગમી ! અને એ ડંખીલો રાજા જરૂર કુમારપાલને મારી નંખાવવા પ્રયત્ન કરશે. કુમારપાલના ગયા પછી આચાર્યદેવ ઊંડા વિચારમાં ડૂબી ગયા. દેવી અંબિકાએ કરેલું ભવિષ્યકથન મિથ્યા થાય નહીં, આ વાત આચાર્યદવ સાવ સાચી માનતા હતા. એટલે સિદ્ધરાજ લાખ ઉપાય કરે, છતાં કુમારપાલને મારી શકશે નહીં – એ વાતે આચાર્યદેવ નિશ્ચિત હતા. વૃદ્ધાવસ્થામાં પણ રાજા સિદ્ધરાજને શાન્તિ ન હતી. “ગુજરાતના રાજસિંહાસન પર કુમારપાલ ન જ બેસવો જોઈએ.” આ એનો નિર્ણય હતો. છતાં દેવી અંબિકાની આગાહી એના મનમાં ઊથલ-પાથલ મચાવતી હતી ! સિદ્ધરાજે કુમારપાલને મારવા માટે તંત્ર ગોઠવી દીધું હતું. કુમારપાલ સાવધાન થઈ ગયો હતો. તથા | કુમારપાલનો જન્મ કુમારપાલનો જન્મ - ૫૯ | ૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy