SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવ્યા. પાટણના વિદ્વાન પંડિતોને બોલાવ્યા અને કહ્યું : “તમે સહુ આ સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કરો અને પછી બીજાઓને આ જ વ્યાકરણ ભણાવો.” રાજપુરોહિતોએ કહ્યું : “મહારાજા, અમે જરૂર આ ગ્રંથનું અધ્યયન કરીશું, પરંતુ એ માટે આ ગ્રંથોની વધારે નકલો જોઈએ.' રાજાએ તુર્ત જ ગુજરાતમાંથી ૩૦૦ લહિયાઓને (લખનારાઓ) બોલાવ્યા અને સિદ્ધહેમ વ્યાકરણ'ને લખવાનું કામ સોંપ્યું, થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક નકલો લખાઈ ગઈ. આજે પણ પાટણમાં અને રાજસ્થાનમાં સુંદર અક્ષરોમાં શાસ્ત્રો-ગ્રંથો લખનારા કોઈ-કોઈ લહિયાઓ વિદ્યમાન છે. ત્રણ વર્ષ સુધી વિદ્વાનોએ આ ગ્રંથનું અધ્યયન કર્યું. તેઓએ રાજા સિદ્ધરાજની આગળ આ ગ્રંથની ખૂબ પ્રશંસા કરી. “અત્યાર સુધીમાં રચાયેલા તમામ વ્યાકરણગ્રંથોમાં આ ગ્રંથ શ્રેષ્ઠ છે.” રાજાએ આ ગ્રંથની નકલો ભારતનાં તમામ રાજ્યોમાં મોકલાવી આપી. તે તે રાજયના રાજાઓએ ખૂબ પ્રેમથી એ ભેટને સ્વીકારી, પોતપોતાના ગ્રંથાલયોમાં મૂકી. કાગડા તો બધે કાળા હોય !” હેમચન્દ્રસૂહિજીની ખૂબ પ્રશંસા થવાથી, રાજસભામાં એમનું માન-સન્માન વધવાથી અને રાજાને વધુ પ્રિય બનવાથી, કેટલાક વિદ્વાન પંડિતો એમના પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યા. તેમણે ભેગા થઈને વિચાર કર્યો... આપણે રાજાને સમજાવીએ કે હેમચન્દ્રાચાર્યે આટલો મોટો વ્યાકરણગ્રંથ બનાવ્યો... પરંતુ એ ગ્રંથમાં આગળપાછળ ક્યાંય આપનું નામ કે આપના પૂર્વજો કે મહારાજા મૂળરાજ વગેરેનાં નામ લખ્યાં નથી ! કેવું અભિમાન છે એ જૈનાચાર્યને ? જો આ પ્રમાણે કહીશું તો રાજા જૈનાચાર્ય પ્રત્યે રોષે ભરાશે અને આ ગ્રંથને નદીમાં ફેંકાવી દેશે !' બધા સંમત થયા અને ગયા રાજા પાસે. રાજાને વાત કરી. રાજાએ સાંભળી લીધી અને કહ્યું : “ભલે, એમને પૂછી જોઈશ !' - સિદ્ધહેમ' વ્યાકરણ ૩૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy