SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનો કોઈ વિદ્વાન શું ન રચી શકે ? શું એવો કોઈ વિદ્વાન વિશાળ ગુજરાતમાં જન્મ્યો નથી ?' રાજાની અને હેમચન્દ્રસૂરિજીની આંખો મળી ! હેમચન્દ્રસૂરિજીએ કહ્યું : “હું રાજા ભોજના વ્યાકરણ કરતાં સવાયા વ્યાકરણની રચના કરીશ !' અવશ્ય ગુરુદેવ, આપ શ્રેષ્ઠ વ્યાકરણની રચના કરી શકશો. આચાર્યદેવે કાશ્મીરથી વ્યાકરણના આઠ મંગાવ્યા. એ બધા ગ્રંથોની મદદથી અને પોતાની પ્રતિભાથી તેમણે નવા વ્યાકરણની (ગ્રામર) રચના કરી. એક વર્ષમાં તેમણે સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. આ સંસ્કૃત વ્યાકરણનું નામ “સિદ્ધહેમ વ્યાકરણ' આપવામાં આવ્યું. “સિદ્ધ એટલે સિદ્ધરાજ અને “હેમ એટલે હેમચન્દ્રસૂરિ. આચાર્યદેવે સિદ્ધરાજને કહ્યું : “રાજેશ્વર, તમારી ઈચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ ગઈ છે.' સિદ્ધરાજ ખૂબ આનંદિત થયો. તેણે કહ્યું : “ગુરુદેવ, હું એ અદ્ભુત ગ્રંથ હાથીના માથે મૂકીને, એને પાટણના રાજમાર્ગો ઉપર વાજતે-ગાજતે ફેરવીને રાજસભામાં જઈશ !' રાજાએ પોતાના ખાસ હાથીને શણગાર્યો. એના ઉપર એ સિદ્ધહેમ વ્યાકરણના ગ્રંથને પધરાવ્યો. એના ઉપર શ્વેત છત્ર ધરાવ્યું. બે સ્ત્રીઓને હાથી પર બેસાડી, ગ્રંથને ચામર વીંઝાવ્યા. હજારો સ્ત્રી-પુરુષો એ ગ્રંથની સ્વાગતયાત્રામાં જોડાયાં. ગ્રંથ જ્યારે રાજમહેલના દ્વારે આવ્યો ત્યારે રાજાએ સોના-ચાંદીના ફૂલોથી એને વધાવ્યો. ઉત્તમ દ્રવ્યોથી એ ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું. ગુરુદેવ હેમચન્દ્રસૂરિજીની સ્તુતિ ગાવામાં આવી. એ ગ્રંથને બહુમાનપૂર્વક ગ્રંથાલયમાં મૂકવામાં આવ્યો. સિદ્ધરાજે રાજસભામાં જાહેર કર્યું : “આચાર્યદેવે આ ગ્રંથની રચના કરીને દુનિયામાં ગુજરાતની કીર્તિ વધારી છે, મારો યશ ફેલાવ્યો છે... અને એમણે જૈનશાસનને ગૌરવવંતું બનાવ્યું છે.” [ ૩૪ - સર્વજ્ઞ જેવા સૂરિદેવ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy