SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धराज ! गजराजमुच्चकैरगतो करु यथाच वीक्ष्य तम् । संत्रसन्तु हरितां मतंगजा स्तैः किमद्यभवतैव भूधृता ? સિદ્ધરાજ, તમે ગજરાજને કેમ થોભાવ્યો? એને એકદમ વેગથી આગળ ચલાવો કે જેથી એને જોઈને સર્વે દિગ્ગજો ત્રાસ પામીને જતા રહે! કેમ કે હવે પૃથ્વીનો ભાર તમે ઉપાડ્યો છે, એ દિગજની શી જરૂર છે ?” આચાર્યદેવની કલ્પનાશક્તિથી અને તત્કાલ કરેલી કાવ્યરચનાથી રાજ ખૂબ જ આનંદિત થયો. તેણે આચાર્યદેવને વિનંતી કરી : ગુરુદેવ, મારા પર કૃપા કરી, પ્રતિદિન આપ રાજસભામાં પધારજો.’ રાજનું, અનુકૂળતા મુજબ તમારી પાસે આવવાનું ગોઠવીશ.” આચાર્યદેવે પ્રસન્નતાપૂર્ણ વદને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો ને આગળ ચાલ્યા. રાજા સિદ્ધરાજ સાથેની આ પહેલી મુલાકાત હતી. પરંતુ રાજાના હૃદય આચાર્યદેવ વસી ગયા હતા. ત્યાર પછી અવારનવાર આચાર્યદિવ, સિદ્ધરાજની રાજસભામાં જવા લાગ્યા. આચાર્યદિવની મધુર અને પ્રભાવશાળી વાણીની રાજા ઉપર ધારી અસર પડવા લાગી. જૈન ધર્મની શ્રેષ્ઠતા અને મહાનતા રાજાને સમજાણી. રાજા જૈન ધર્મ તરફ ખૂબ આકર્ષાયો. વિ.સં. ૧૧૩નો સમય હતો. રાજા સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માનો પરાજય કરી, પાટણમાં પ્રવેશ કર્યો હતો. ઘણાં વર્ષોની સિદ્ધરાજની ઈચ્છા ફળી હતી. એને માળવાનું માત્ર રાજ્ય જ ગમતું હતું, એમ ન હતું. એને માળવાનાં કલા, સાહિત્ય અને સંસ્કારો પણ ગમતા હતા. એ બધું એને ગુજરાતમાં લાવવું હતું. સિદ્ધરાજ ગુજરાતને વિશાળ સામ્રાજ્ય બનાવવા ઇચ્છતો હતો. તેને ચક્રવર્તી બનવાના કોડ હતા. તેને દુનિયાભરના વિદ્વાનોને ગુજરાત તરફ આકર્ષવા હતા. ગુજરાતની રાજધાની પાટણને | સિદ્ધહેમ' વ્યાકરણ : ૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy