SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તો રાજા બનાવાય જ નહીં. જોકે પ્રતાપમલ્લ પણ ધર્માત્મા નથી. છતાં એ ધર્મનો દ્વેષી કે વિરોધી નથી. રાજા બનવાના બીજા ગુણો એનામાં દેખાય છે.' રાજાએ કહ્યું : ‘આપની આજ્ઞા મુજબ જ કાર્ય કરીશ.’ રાત ઉપાશ્રયમાં પસાર કરી પ્રભાતે રાજા રાજમહેલમાં ગયા. એમનું મન ઘણું હળવું થઈ ગયું હતું. બાલચંદ્રમુનિના મનમાં ગુરુદેવ હેમચન્દ્રસૂરિ પ્રત્યે ભક્તિ ન હતી, શ્રદ્ધા ન હતી. પરંતુ ઘોર દ્વેષ હતો. બીજી બાજુ બાલચન્દ્રમુનિએ અજયપાળ સાથે દોસ્તી બાંધી હતી. રાતે ગુરુદેવે, કુમારપાલની આગળ અજયપાળની નિંદા કરી હતી, તેથી બાલચન્દ્રમુનિ ગુરુદેવ ઉપર વધારે ક્રોધે ભરાયો હતો. પ્રભાતે, બાલચન્દ્રમુનિ અજયપાળના મહેલે પહોંચી ગયા, અને રાત્રિની બધી વાત તેને કરી દીધી. અજયપાળે કહ્યું : ‘મુનિરાજ, તમે રાત્રિમાં ગુપ્તવાત સાંભળી લીધી તે સારું કર્યું. તમે ખરેખર, મારા સાચા મિત્ર છો. હું જ્યારે રાજા બનીશ ત્યારે તમને હું મારા ગુરુપદે સ્થાપિત કરીશ. જેવી રીતે વર્તમાનમાં હેમચન્દ્રસૂરિ કુમારપાલના ગુરુપદે છે તેવી રીતે !’ પાટણના રાજપરિવારમાં કાવા-દાવા શરૂ થઈ ગયા. મહારાજાનું મન તેથી વ્યથિત રહેવા લાગ્યું. તે છતાં તેના મનમાં જે ધર્મચિંતન ચાલતું હતું તે ધર્મચિંતનના પ્રભાવે તેઓ સ્વસ્થ રહી શકતા હતા. ૮૦ વર્ષના વયોવૃદ્ધ બનેલા કુમારપાલના ચિત્તમાં જેવી રીતે વિશાળ સામ્રાજ્યના ભવિષ્યની અને ગુજરાતના અભિનવ ઉન્નત સંસ્કારોના રક્ષણની ચિંતા હતી, તેવી રીતે પોતાના પરલોકનો વિચાર પણ રમતો હતો. હેમચન્દ્રસૂરિના પટ્ટશિષ્ય રામચન્દ્રસૂરિ હતા. રામચન્દ્રસૂરિ, પોતાના ગુરુદેવની વિચારશૈલીને ચીવટથી જાળવનારા અને ટકાવનારા હતા. તેઓ નીડર અને સ્વાતંત્ર્યપ્રિય હતા. તેમનામાં તેજસ્વી પ્રતિભા હતી અને પ્રકાંડ વિદ્વત્તા હતી. આચાર્યદેવ હેમચન્દ્રસૂરિએ, રામચંદ્રસૂરિને પોતાના અનુગામી સૂરિદેવનો સ્વર્ગવાસ ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy