SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિદેવનો સ્વર્ગવાસ કુમારપાલે આચાર્યદેવને પૂછ્યું : ‘ભગવંત, મારી મુક્તિ ક્યારે થશે ?’ આચાર્યદેવે કહ્યું : ‘રાજન્, આ જન્મનું આયુષ્ય પૂર્ણ કરીને, મૃત્યુને પામીને દેવ બનીશ. મહાસમૃદ્ધ દેવ બનીશ. વિપુલ ભોગસુખ મળવા છતાં અને ભોગવવા છતાં તું આસક્તિમાં ડૂબીશ નહીં. પૃથ્વી ઉપરનાં શાશ્વત્ તીર્થોની યાત્રા કરીશ. નંદીશ્વર દ્વીપ વગેરે તીર્થોમાં ભવ્ય ભક્તિ-મહોત્સવ કરીશ. મહાવિદેહ-ક્ષેત્રોમાં જઈને, તીર્થંકરોની અમૃતમયી વાણી સાંભળીશ. શ્રેષ્ઠરૂપવાળીદેવીઓની સાથે નંદનવનોમાં ઇચ્છા મુજબ વિલાસ કરીશ. રાજન્, દેવભવનું આયુષ્ય પણ પૂરું થઈ જશે. તું આ જ ભરતક્ષેત્રમાં જન્મ પામીશ. - - - ૬ દ્દિલપુર નગરમાં શતાનંદ નામના રાજાની ધારિણી નામની રાણીના પેટે તું જન્મીશ. તારું નામ ‘શતબળ' રાખવામાં આવશે. શતબળ બાલ્યકાળમાં જ સર્વકળાઓ શીખી લેશે. બૃહસ્પતિ જેવો વિદ્વાન બનશે. યૌવનવયમાં તે રાજા બનશે અને પોતાના સમગ્ર રાજ્યમાં અહિંસા-ધર્મનો પ્રચાર કરશે. ― પોતાના અદ્ભુત પરાક્રમથી તે અનેક રાજ્યો જીતી લેશે. એ અરસામાં આ ભરતક્ષેત્રમાં, આવતી ચોવીશીના પહેલા તીર્થંકર શ્રી પદ્મનાભ વિહરતા હશે. તેઓ વિહરતાં-વિહરતાં એક દિવસ ભદ્દિલપુરમાં પધારશે. રાજા શતબળને આ સમાચાર મળતાં તે તીર્થંકરને વંદન કરવા જશે. પ્રભુની અમૃતમયી દેશના સાંભળીને રાજા શતબળ વિરક્ત બનશે, અનાસક્ત બનશે. અને તીર્થંકરની પાસે તે દીક્ષા લેશે. સાધુ બની જશે. તેઓ તીર્થંકરના અગિયારમા ગણધર બનશે. કઠોર તપશ્ચર્યા કરી, વીતરાગસર્વજ્ઞ બનશે. સૂરિદેવનો સ્વર્ગવાસ Jain Education International For Private & Personal Use Only ૧૮૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy