SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ – તમે પૂર્વજન્મમાં પાંચ કોડીનાં ૧૮ ફૂલોથી પરમાત્માની ભાવભક્તિથી પૂજા કરી હતી, એના ફળરૂપે અહીં તમને ૧૮ દેશનું રાજય મળ્યું છે. પૂર્વજન્મમાં તમે ઘણી લૂંટફાટ કરેલી એના કારણે આ જન્મમાં તમારે ઘણાં કષ્ટ સહન કરવાં પડ્યાં ! આ તમારો પૂર્વજન્મ, જે પ્રમાણે દેવી ત્રિભુવનસ્વામિનીએ મને કહ્યો, એ મેં તમને કહ્યો છે ! અને મારા કથનમાં જો તમને શંકા હોય, તો કોઈ રાજપુરુષને એકશિલા નગરીમાં મોકલો. આઢર શેઠના પુત્રોના ઘરમાં સ્થિરા” નામની એક વૃદ્ધ નોકરાણી હજુ જીવે છે. એ બધી જ વાત કહી બતાવશે !' કુમારપાલે કહ્યું : “ગુરુદેવ, આપ તો સર્વજ્ઞ જેવા જ સૂરિદેવ છો. આ કળિયુગમાં સર્વજ્ઞની જેમ ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો કહેનારા, આપના સિવાય બીજું કોણ છે ? દેવીની વાણી ક્યારેય અસત્ય હોય જ નહીં. પરંતુ માત્ર કૌતુકથી... કુતૂહલથી પ્રેરાઈને મારા ગુપ્તચરોને એકશિલા નગરીમાં મોકલીને, પેલી વૃદ્ધ દાસીની તપાસ કરાવી લઉં !' ગુરુદેવે કહ્યું: “ખુશીથી મોકલો ગુપ્તચરોને.” ગુપ્તચરો ગયા એકશિલા નગરી. આઢર શેઠના પુત્રોને મળ્યા. સ્થિરા દાસીને મળ્યા. તેને બધી વાતો પૂછી. આઢરે બંધાવેલા દેરાસરને જોયું. ગુપ્તચરોએ પાછા આવીને કુમારપાલને કહ્યું : “જે પ્રમાણે ગુરુદેવે કહ્યું તે જ પ્રમાણે અમે ત્યાં બધું જોયું અને જાણ્યું !” કુમારપાલે ભરચક ભરાયેલી રાજસભામાં ગુરુદેવને “કલિકાલસર્વજ્ઞ”ની પદવી આપી ! (૧૮૦ % સર્વજ્ઞ જેવા સૂદિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy