SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંપી. નરવીરની પત્ની કે જે ગર્ભવતી હતી, તે ભાગી જતી પકડાઈ ગઈ. ક્રૂર બની ગયેલા ધનદત્તે એને પકડીને, તલવારથી એનું પેટ ચીરી નાંખ્યું. તેમાંથી બાળકને કાઢીને, પથ્થરની શિલા ઉપર પછાડીને મારી નાંખ્યું... તે ખૂબ રાજી થયો. નરવીરની પલ્લીમાંથી ઘણું ધન લઈને, ગાડાંઓમાં ભરીને, તે પાછો વળ્યો. માળવાના રાજા પાસે ગયો. પોતાની બહાદુરીનું વર્ણન કરતાં એણે નરવીરની પત્નીને અને એના ગર્ભસ્થ શિશુને કેવી રીતે મારી નાંખ્યું એ પણ કહી દીધું. રાજા દયાળુ હતો. તે કંપી ઊઠ્યો. સિંહાસન પરથી ઊભો થઈ ગયો. તેણે કહ્યું : “અરે, દુષ્ટ વેપારી, તું ભયંકર નિર્દય માણસ છે. તે સ્ત્રી હત્યા અને બાળહત્યાનું ઘોર પાપ કર્યું. આવું પાપ તો ચંડાળ પણ ના કરે. તું અહીંથી ચાલ્યો જા. તારું કાળું મોટું મને ક્યારેય દેખાડીશ નહીં.” રાજાએ ધનદત્તનું બધું જ ધન લઈ લીધું. એનો ઘોર તિરસ્કાર કર્યો અને દેશનિકાલની સજા કરી. ધનદત્ત એકલો ને અટૂલો... ભટકતો ભટકતો એક જંગલમાં ગયો. તેના મનમાં પોતે કરેલાં પાપોનો ઘોર પશ્ચાત્તાપ થયો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી. તેનું મૃત્યુ થયું. મરીને એ જીવ જે પુનર્જન્મ પામ્યો, તે જ રાજા સિદ્ધરાજ ! એકાગ્રતાથી સાંભળી રહેલા રાજા કુમારપાલે પૂછ્યું : ભગવંત, પેલા ડાકુ નરવીરનું શું થયું ?' આચાર્યદેવે કહ્યું : એ નરવીર એક જંગલમાં જઈને એક વૃક્ષની નીચે બેઠો. તે થાકેલો ને હારેલો હતો. તેના દિલમાં રોષ હતો... પરંતુ તે સાવ અસહાય બની ગયો હતો. એ જંગલના રસ્તેથી એક મુનિર્વાદ પસાર થતું હતું. એ મુનિવૃંદના આચાર્ય હતા શ્રી યશોભદ્રસૂરિ. તેમણે નરવીરને જોયો. દયા આવી. - પૂર્વજન્મની કથા ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy