SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નરવીરે આચાર્યને જોયા. એના હૃદયમાં ભક્તિનો ભાવ જાગ્યો ! આચાર્યદેવની સમક્ષ નરવીરે પોતાનાં બધાં જ પાપ કહી દીઘાં. આચાર્યદેવે તેને સારા સજ્જન માનવી બનીને જીવવાનો ઉપદેશ આપ્યો. નરવીરને આચાર્યનો ઉપદેશ ગમ્યો. આચાર્યના મુનિવૃંદની સાથે થોડા ગૃહસ્થો પણ હતા. તેમની પાસે ભોજન માટેની સામગ્રી હતી. - નરવીરને પેટ ભરીને ભોજન કરાવ્યું. – તેને “એકશિલા નગરીમાં જવા પ્રેરણા આપી. નરવીર એના રસ્તે ચાલ્યો.. મુનિવૃંદ એમના માર્ગે આગળ વધી ગયું. નરવીર “એકશિલા નગરીમાં પહોંચ્યો. આઢર શ્રેષ્ઠીની હવેલીએ પહોંચ્યો. આઢર શેઠને ઘેર સદાવ્રત ચાલતું હતું. શેઠે નરવીરને જમી લેવા કહ્યું, પરંતુ “હું તમારું કોઈ કામ કરીને પછી ભોજન કરીશ.” એમ કહ્યું. શેઠને નરવીર ગમી ગયો. તેને પોતાના ઘરમાં રાખી લીધો... નરવીર ઘરનાં બધાં કામ કરે છે અને સજ્જન તરીકે જીવન જીવે છે. ત્યાં પેલા આચાર્ય યશોભદ્રસૂરિ વિહાર કરતા કરતા એકશિલા નગરીમાં પધાર્યા. નરવીરે તેમને જોયા, ઓળખ્યા...અને તે આચાર્યના પગમાં પડી ગયો. આચાર્યદેવે ખૂબ વાત્સલ્યથી એના માથે હાથ મૂક્યો. નરવીરે પૂછ્યું : “પ્રભુ, આપ અહીં ક્યાં રહેવાના છો ? હું રોજ આપની પાસે આવીશ.” આચાર્યદેવે પોતાનું સ્થાન બતાવ્યું. નરવીર રોજ આચાર્યની પાસે જવા લાગ્યો. આઢર શેઠે પૂછ્યું : “નરવીર, થોડા દિવસથી તું બહાર જાય છે.. ઘણો સમય બહાર રહે છે. ક્યાં જાય છે, ભાઈ ?' નરવીર કહ્યું : મારા ઉપકારી શેઠ, હું મારા પરમ ઉપકારી ગુરુદેવ યશોભદ્રસૂરિની પાસે જાઉં છું. તેમનાં અમૃત જેવાં મધુર વચનો. ૧૭૬ સર્વજ્ઞ જેવા સૂદેિવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy