SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ માળવા અને ગુજરાતની સરહદ ઉપર એક ઊંચો પહાડ હતો. એ પહાડ ઉપર “નરવીર’ નામનો ડાકુ પોતાના અનેક સાથીદારો સાથે રહેતો હતો. હતો તો મેવાડનો રાજા જયકેશીનો પુત્ર ! પરંતુ તેનાં ખોટાં કામોથી કંટાળીને રાજાએ એને દેશનિકાલની સજા કરી. તે ડાકુઓની ટોળીનો સરદાર બની ગયો. એણે આજુબાજુનાં ગામો જીતી લઈને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એક દિવસ માળવાનો મોટો ધનવાન વેપારી ધનદત્ત આ રસ્તેથી પસાર થતો હતો. સેંકડો ગાડાંઓમાં અઢળક સંપત્તિ ભરેલી હતી. દરેક ગાડાની સાથે તેના રખેવાળો ચાલતા હતા. ધનદત્તના કાફલાએ જેવો પર્વતની ખાઈમાં પ્રવેશ કર્યો કે નરવીરના ગુપ્તચરોએ નરવીરને સમાચાર આપી દીધા. જ્યાં ખાઈના મધ્યભાગમાં ધનદત્તનો કાફલો પહોંચ્યો કે નરવીરે એના સશસ્ત્ર સાથીદારો સાથે હુમલો કરી દીધો. રક્ષકોને મારી નાંખ્યા અને બધી સંપત્તિ લૂંટી લીધી. ધનદત્ત, અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો ! એક સલામત જગાએ જઈ પહોંચ્યો. તે એક વૃક્ષની છાયામાં બેઠો, અને વિચારવા લાગ્યો : આ દુષ્ટ લૂંટારાને પકડવામાં નહીં આવે તો એ અનેક મુસાફરોના પ્રાણ લેશે... સંપત્તિ લૂંટી લેશે. કોઈ રાજાની સહાય લઈને હું જ આ દુષ્ટને સજા કરું !' ધનદત્ત જેમ પૈસા કમાવામાં કુશળ હતો તેમ યુદ્ધ કરવામાં પણ કુશળ હતો. તે માળવાના રાજા પાસે ગયો. બધી વાત કરી.. “મને થોડું લશ્કર આપો. હું એ દુષ્ટને પહોંચી વળીશ.” તેણે રાજા પાસે લશ્કર માંગ્યું. રાજાએ લશ્કર આપ્યું. લશ્કર લઈને ધનદત્ત, નરવીરની પલ્લી પાસે પહોંચ્યો. ચારે બાજુથી પલ્લીને ઘેરી લીધી. નરવીર અને એના બહાદુર સાથીદારો શૂરવીરતાથી લડ્યા, પરંતુ તેઓ હાર્યા. ધનદત્ત અને લશ્કરે, નરવીરના બધા જ સાથીદારોને મારી નાંખ્યા. એક માત્ર નરવીર બચી ગયો. તે દૂર સુરક્ષિત જગાએ ભાગીને પહોંચી ગયો. ધનદત્તે પલ્લીને આગ (૧૭૪ ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy