SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫ || || પૂર્વજન્મની કથા | E – એક દિવસ કુમારપાલે ગુરુદેવને પ્રશ્ન કર્યો : ગુરુદેવ, આ કાળમાં આપ જ સર્વજ્ઞ છો. મારા એક પ્રશ્નનું સમાધાન કરવા કૃપા કરો.” | ‘પૂછો રાજનું, જ્ઞાનપ્રકાશમાં તમારા પ્રશ્નનો ઉત્તર જડશે તો તમને કહીશ. તમારા મનનું સમાધાન કરીશ.” ભગવંત, હું પૂર્વભવમાં કોણ હતો ?' સિદ્ધરાજે મને પારાવાર દુઃખ કેમ દીધું? - આપ અને મહામંત્રી ઉદયન, મારા ઉપર આટલું બધું હેત.. વાત્સલ્ય કેમ વરસાવો છો ? પૂર્વજન્મના કોઈ વિશિષ્ટ સંબંધ વિના, આવી જીવલેણ દુશમનાવટ કે આવી અપૂર્વ મૈત્રી સંભવે નહીં!' આચાર્યદેવે કહ્યું : “કુમારપાલ, તારા પ્રશ્નોના ઉત્તર મારે કોઈ દેવ-દેવી પાસેથી મેળવવા પડશે. તે મેળવીને તને કહી સંભળાવીશ.” ગુરુદેવને વંદના કરી રાજા મહેલમાં ગયા. ગુરુદેવે એક સાધુની સાથે સિદ્ધપુર તરફ પ્રયાણ કર્યું. સિદ્ધપુરના પાદરમાં જ સરસ્વતી નદીનાં શાન્ત નીર વહેતાં હતાં. કિનારા પરના એક ઘેઘૂર વડલાની નીચે, શુદ્ધ ભૂમિ પર, પ્રમાર્જન કરીને મુનિએ આસન પાથર્યું. ગુરુદેવે આસન પર બેસીને, મંત્રસ્નાન કરીને “સૂરિમંત્રની આરાધના શરૂ કરી. ત્રણ દિવસ સુધી ઉપવાસ અને આરાધના કર્યા. સાથેના મુનિવરે ઉત્તર સાધક બનીને, અપ્રમત્ત રહીને ગુરુદેવને સહાય કરી. આરાધના પૂર્ણ થઈ. દેવી ત્રિભુવન સ્વામિની પ્રગટ થઈ. પ્રસન્ન વદને તેણે ધ્યાનલીન ગુરુદેવને કહ્યું : “સૂરિદેવ, મને કેમ યાદ કરી ?” (૧૭૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy