SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રતા ઇચ્છું છું. આપનું પવિત્ર સાન્નિધ્ય ઈચ્છું છું.” રાજની નમ્રતા.. સરળતા અને મૈત્રીથી આચાર્યદેવ પ્રભાવિત થયા. તેમણે પાટણમાં બનેલી ઘટના કહી સંભળાવી. રાજાને ખૂબ દુઃખ થયું. ભવિષ્યમાં હવેથી ક્યારેય આવી દુર્ઘટના નહીં બને - તેવી ખાતરી આપી. ગુરુદેવ, મારા મહેલમાં આપ ચાહો ત્યારે પધારી શકો છો. આપને કોઈને રાજપુરુષ કે રાજનો નોકર રોકશે નહીં કે ટોકશે નહીં.” રાજાની અને આચાર્યદેવની મૈત્રી વિશેષ રૂપે દઢ બની. રાજા પ્રસંગે-પ્રસંગે આચાર્યદેવની પ્રશંસા કરવા લાગ્યા. (૪) રાજપુરોહિત આમિગ ઈર્ષ્યાળુ હતો. હેમચન્દ્રસૂરિનાં માન-પાન વધી ગયેલાં જોઈ તેનું દિલ બળવા લાગ્યું. એ પુરોહિત, હેમચન્દ્રસૂરિને ઉતારી પાડવાનો લાગ શોધવા માંડ્યો. એક દિવસ રાજસભામાં રાજાએ હેમચન્દ્રસૂરિના બ્રહ્મચર્ય-ગુણની ખૂબ પ્રશંશા કરી. તે વખતે પુરોહિતે કહ્યું : મહારાજા, વિશ્વામિત્ર... પરાશર જેવા ઋષિ-મુનિઓ, કે જેઓ જંગલમાં રહીને પાંદડાં ખાઈને રહેતા હતા, તેઓ પણ સુંદરીના સુંદર શરીરને જોઈને મોહિત થઈ ગયા હતા, તો પછી, જે સાધુઓ દૂધ, દહીં અને ઘી ખાય છે અને ગામ-નગરમાં રહે છે, તેઓ ઇન્દ્રિયનિગ્રહ કેવી રીતે કરી શકે?” આ વાતનો જવાબ આચાર્યદેવે આપ્યો : “અરે, પુરોહિત, હાથી અને ડુક્કરનું માંસ ખાનાર બળવાન સિંહ આખા વર્ષમાં એક વખત જ સિંહણ સાથે ભોગ કરે છે... જ્યારે અનાજના દાણાને કાંકરા ખાનાર કબૂતર રોજ વિષયભોગ કરે છે ! એનું શું કારણ ? જરા બતાવો તો!” પુરોહિત આમિગ શું જવાબ આપે ? ચૂપ થઈ ગયો ! શરમથી એનું મોટું નીચું થઈ ગયું. ( ૧૭૦ % સર્વજ્ઞ જેવા મૂરિદેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy