SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી, વિનયથી બેઠા. મહામંત્રીએ પૂછ્યું: “ગુરુદેવ, ઉગ્ર વિહાર કરીને અહીં પધારવાનું પ્રયોજન ?' આચાર્યદેવે કહ્યું : “મારે તત્કાલ રાજાને મળવું છે.” મહામંત્રીએ બોલ્યા : “હું હમણાં જ મહારાજાને સમાચાર આપું છું.” ગુરુદેવની મુખમુદ્રા જોઈને મહામંત્રીએ કોઈ અમંગલ ઘટનાનું અનુમાન કર્યું. મહારાજાને સમાચાર આપ્યા. મહારાજાએ, મહામંત્રીને કહ્યું: ‘ગુરુદેવને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી લાવો.” મહામંત્રીએ ગુરુદેવને કહ્યું: રાજમહેલમાં પધારવા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. આચાર્યદેવ રાજમહેલમાં પધાર્યા. રાજાએ ભાવભીનું સ્વાગત કર્યું. રાજાએ વિનયથી પૂછયું : “ગુરુદેવ, આપના પવિત્ર દેહે નિરામયતા વર્તે છે ને ?” આચાર્યદેવે કહ્યું : “રાજનું, જે રાજાના રાજ્યમાં સાધુ-સાધ્વીના મૃતદેહની પણ મર્યાદા ના જળવાતી હોય, તેવા રાજ્યમાં આશ્રિત બનીને રહેવાનું કોણ પસંદ કરે ?' ચિંતાથી વ્યાકુળ બનેલા રાજાએ પૂછ્યું : “ગુરુદેવ, શું મારા રાજ્યમાં કોઈએ આપનું અપમાન કર્યું છે ? કોઈ દુષ્ટ માણસે આપને શું રંજાડ્યા છે? પ્રભુ, મને કહો, હું એ પાપીને સજા કરીશ... પરંતુ મને અને મારા રાજ્યને છોડી જવાનો વિચાર ના કરશો...” “રાજનું, જે રાજયમાં સાધ્વીના મૃતદેહની મર્યાદા પણ ન જળવાતી હોય, તે રાજ્યમાં રહેવાનું અમે પસંદ કરતા નથી. શા માટે અમારે તમારા રાજ્યમાં રહેવું જોઈએ ? શું જોઈએ છે અમારે ? ભિક્ષાવૃત્તિથી ભોજન કરીએ છીએ... જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ અને જમીન ઉપર સૂઈ જઈએ છીએ...! અમને રાજાઓનું શું પ્રયોજન રાજાએ ગદ્ગદ સ્વરે કહ્યું: ‘ગુરુદેવ, આપને મારી જરૂર નથી... પરંતુ મારે આપની જરૂર છે ! પરલોકનું પુણ્ય બાંધવા હું આપની સાથે - પાંચ પ્રસંગ ૧૬૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy