SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ “હે માતા, હું તમને એક કરોડ નવકારમંત્રનું પુણ્યદાન આપું છું. તમે અનુમોદના કરો.' - આચાર્યદેવ પુણ્યદાન આપીને, સ્વયં સાધ્વી-માતાને શ્રી નવકારમંત્ર સંભળાવવા લાગ્યા. સાધ્વી પાહિની સમાધિમૃત્યુ પામ્યાં. શ્રાવકસંઘે સ્મશાનયાત્રાની તૈયારીઓ કરવા માંડી. સાધ્વીજીના મૃતદેહને સ્મશાનમાં લઈ જવા માટે સુંદર અને મૂલ્યવાન પાલખી બનાવવામાં આવી. પાલખીને એક જગાએ મૂકીને, શ્રાવકો જરા આઘા-પાછા થયા, ત્યાં તો કેટલાક જૈનવિરોધી લોકોએ એ પાલખીને તોડી નાંખી. સમાચાર હેમચન્દ્રસૂરિને મળ્યા. સમાચાર સાંભળીને હેમચન્દ્રસૂરિ ખૂબ ગુસ્સે થયા. તેઓ પોતે, જ્યાં સાધ્વી-માતાનો મૃતદેહ હતો ત્યાં પહોંચ્યા. શ્રાવકોને કહ્યું : હવે તમે ડરો નહીં. નવી પાલખીમાં સાધ્વી-માતાનો મૃતદેહ પધરાવો. હું જોઉં છું... કોણ અહીં વિઘ્ન કરવા આવે છે !” સાધ્વી પાહિનીની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. પાટણનાં હજારો સ્ત્રી-પુરુષો સ્મશાનયાત્રામાં જોડાયાં. અગ્નિસંસ્કાર સમયે આચાર્યદેવ સ્વયં ઉપસ્થિત રહ્યા. પેલા વિરોધી બાવાઓની તાકાત ન હતી કે તેઓ હેમચન્દ્રસૂરિની સામે કોઈ ઉપદ્રવ કરે ! મહારાજા કુમારપાલ પાટણમાં ન હતા. તેઓ માળવાદેશમાં હતા. તેમને આ દુર્ઘટનાની ખબર ક્યાંથી હોય ? આચાર્યદેવનું મન ખાટું થઈ ગયું હતું. તેમના મનમાં ઘણું લાગી આવ્યું હતું. માતા-સાધ્વીના થયેલા ઘોર અપમાનથી તેઓ ધૂંવાંપૂવાં થઈ ગયા હતા. તેમણે શિષ્યસમુદાય સાથે માળવા તરફ વિહાર કર્યો. રાજા કુમારપાલ ઉજજૈનમાં હતા. આચાર્યદેવ ઉજજૈન પહોંચ્યા. મહામંત્રી ઉદયનને ગુરુદેવે સમાચાર મોકલ્યા. અચાનક ગુરુદેવના આગમનને જાણીને ઉદયન મંત્રી દોડતા (૧૬૮ જે સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy