SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ખુલ્લા આકાશ નીચે જઈએ.' કાનાનો હાથ પકડીને ગુરુદેવ દેરાસરના આંગણામાં ગયા. ગુરુદેવે આકાશમાં જોયું. તેમને જે નક્ષત્ર જોઈતું હતું તે નક્ષત્રનો ઉદય આકાશમાં થઈ ગયો હતો ! તેમણે કાના શેઠની સામે જોઈને કહ્યું : ‘કાના, જોષીએ આપેલા મુહૂર્તમાં જો તારી મૂર્તિને અંજન કર્યું હોત તો એ મૂર્તિનું આયુષ્ય માત્ર ત્રણ વર્ષનું હોત ! હવે વર્તમાન નક્ષત્રમાં તારી મૂર્તિને અંજન કરવાથી તે દીર્ઘ કાળ સુધી ટકશે અને એનો પ્રભાવ ફેલાતો રહેશે !' કાના શેઠ ખુશ થઈ ગયા. તેમણે ગુરુદેવને કહ્યું : ‘હે કૃપાવંત, આપના ઉપર મારી પૂર્ણ શ્રદ્ધા છે. આપનું વચન એટલે ભગવાનનું વચન... આપની આજ્ઞા મારા માથે ચઢાવું છું.’ ગુરુદેવ કાના શેઠનો હાથ પકડીને દેરાસરમાં ગયા. પૂજારીએ ‘અંજન’ માટેની તૈયારી કરી. કાના શેઠે પોતે લાવેલી સામગ્રી પૂજારીને આપી. શ્રેષ્ઠ મુહૂર્તમાં કાના શેઠના ભગવાનની મૂર્તિનું અંજન થઈ ગયું. કાના શેઠ મૂર્તિને વટાદરા લઈ ગયા અને ધામધૂમથી દેરાસરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ગુરુદેવે ભવિષ્ય ભાખેલું તે પ્રમાણે જ થયું. ઘણાં વર્ષો સુધી દેરાસરમાં એ મૂર્તિ રહી અને એનો દિવ્ય પ્રભાવ લોકોએ અનુભવ્યો. (૨) બીજો પ્રસંગ છે સોમનાથ પાટણનો. સોમનાથ પાટણમાં કુમારપાલે ભવ્ય દેરાસર બંધાવેલું. એ દેરાસરમાં ભગવાનની પૂજા-સેવા માટે ‘બૃહસ્પતિ' નામના એક તપસ્વી બ્રાહ્મણને રાખ્યો હતો. બૃહસ્પતિ સારી રીતે દેરાસરને સાચવતો હતો. પરંતુ એક દિવસ પાંચ પ્રસંગ Jain Education International For Private & Personal Use Only ૧૬૫ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy