SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અણહિલપુર પાટણના યાત્રિકો સાથે એણે ખોટો વાદ-વિવાદ કરી નાંખ્યો. તેણે જૈન ધર્મની નિંદા કરી. તેણે બ્રાહ્મણ-વિધિથી દેરાસરમાં પ્રભુની પૂજા કરી. પેલા યાત્રિકોએ પાટણ જઈને ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિજીને વાત કરી. - ગુરુદેવે કુમારપાલે વાત કરી. કુમારપાલે તુર્ત જ સોમનાથ પાટણ રાજપુરુષને મોકલી, બૃહસ્પતિને તગેડી મૂક્યો અને બીજા પૂજારીને નિયુક્ત કરી દીધો. બૃહસ્પતિ રસ્તે રઝળતો થઈ ગયો. તેણે પેલા રાજપુરુષને પૂછ્યું: હું શું કરું? ક્યાં જાઉં? મારી ભૂલ મને સમજાય છે...' “અરે, મૂર્ખ બ્રાહ્મણ, તું પાટણ જા અને હેમચન્દ્રસૂરિની સેવા કર. એમને રાજી કર. તો જ તું હવે આ દેરાસરનાં પગથિયાં ચઢી શકીશ.” શું હેમચન્દ્રસૂરિનો એટલો બધો પ્રભાવ છે?' પ્રભાવ ? અરે, એ ગુરુદેવ આજ્ઞા કરે તો મહારાજા રાજપાટ છોડી દે...! માટે વધારે ડાહ્યો થા મા. અને સીધો પાટણ જઈને એ ગુરુદેવની સેવામાં લાગી જા. એમને રાજી કરીશ તો રાજા રાજી થશે અને તેને ફરીથી આ દેરાસરમાં સ્થાન મળશે.' બૃહસ્પતિ પાટણ આવ્યો. તેણે ઉપાશ્રયમાં જઈને ગુરુદેવને પ્રણામ કર્યા અને કહ્યું : ગુરુદેવ, હું આપના ચરણોની સેવા કરવા આવ્યો છું.” બૃહસ્પતિ તપસ્વી તો હતો જ ! તેણે ચોમાસાના ચાર મહિના તપશ્ચર્યા કરી. ગુરુદેવની સેવા કરી. ગુરુદેવ તેને ઓળખી ગયા હતા. રાજા પણ સમજી ગયા હતા કે “આ બ્રાહ્મણ શા માટે આ તપ આ સેવા કરે છે !” બૃહસ્પતિએ જૈન ધર્મનાં વિધિ-વિધાનો જાણવા માંડ્યાં. દેરાસરની પૂજનવિધિ જાણી લીધી. ગુરુને વંદન કરવાની વિધિ જાણી લીધી... અને પચ્ચખાણની વિધિ પણ જાણી લીધી. (૧૯દ છે સર્વજ્ઞ જેવા સૂરિદેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy