SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ હું વટાદરાથી આવ્યો છું... “અંજન' કરવાનું મુહૂર્ત ચાલ્યું જશે... મારું કામ રખડી પડશે... ભાઈઓ, મને જવા દો અંદર...” સૈનિકોએ કહ્યું : “અમે તમને કહ્યું ને ? અત્યારે તમે દેરાસરમાં નહીં જઈ શકો.” શેઠે કહ્યું : “મને ગુરુદેવ ઓળખે છે. તેમને કહો કે વટાદરાથી કાનો શ્રાવક આવ્યો છે...” સૈનિકોએ જરા કડકાઈથી કહ્યું : “અમે પણ દેરાસરની અંદર ના જઈ શકીએ અત્યારે. કડક નિયમ છે. સમજ્યા ?' શેઠ નિરાશ થઈને બોલ્યા : “મારું કામ રખડી પડશે... મુહૂર્ત ચાલ્યુ જશે...' સૈનિકોએ જવાબ ના આપ્યો. શેઠ પણ દેરાસરના ઓટલે બેસી ગયા. મુહૂર્તનો સમય પસાર થઈ ગયો. મહારાજા કુમારપાલ દેરાસરમાંથી બહાર આવ્યા... સાથે સાથે ગુરુદેવ પણ દેરાસરના રંગમંડપમાં આવ્યા. તેમણે કાના શેઠને જોયા. “અરે કાના શ્રાવક, તમે કેમ બહાર બેસી રહ્યા છો ? તમારે તમારી મૂર્તિનું અંજન નહોતું કરાવવું?' કુમારપાલ રવાના થયા. કાના શેઠે ગુરુદેવના ચરણોમાં વંદના કરીને ગદ્ગદ સ્વરે કહ્યું : ગુરુદેવ, હું અભાગિયો છું. થોડો મોડો પડ્યો... ને રાજાના સૈનિકોએ મને અંદર આવવા ના દીધો... સૈનિકોને મેં ઘણા સમજાવ્યા, પરંતુ એ ન માન્યા. પ્રભુ, મારું કામ રખડી પડ્યું... ' કાનો શેઠ રડી પડ્યા. ગુરુદેવે કાના શેઠના માથે હાથ મૂકીને કહ્યું : “કાના, તારું કામ થશે! જરૂર થશે. ચિંતા ના કર. સૈનિકો તો બિચારા નોકર માણસો! રાજાની આજ્ઞાનું પાલન કરે...!” ગુરુદેવ, શુભ મુહૂર્ત તો ચાલ્યું ગયું ને ?' કાના, શુભ મુહૂર્ત ભલે ગયું, શ્રેષ્ઠ મુહૂર્ત હવે આવે છે. ચાલ, (૧૬૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ, | ૧૬૪ k સર્વજ્ઞ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy