SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે દેવી સરસ્વતીની આરાધના-ઉપાસના કરવાની તીવ્ર ઇચ્છા તેમને કાશ્મીર જવા ઉશ્કેરતી હતી. એક દિવસ સોમચન્દ્ર મુનિ આવા વિચારોમાં ગરકાવ થઈ ગયેલા હતા, ત્યાં ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીએ તેમને જોયા. ગુરુદેવને પણ થોડા દિવસોથી એમ લાગતું હતું કે સોમચન્દ્ર મુનિ કોઈ ગંભીર વિચારમાં છે. તેમણે સોમચન્દ્ર મુનિના માથે પોતાનો સ્નેહાળ હાથ મૂકીને પૂછ્યું : વત્સ, કયા વિચારમાં ડૂબી ગયો છે ?' અચાનક ગુરુદેવને પોતાની પાસે આવેલા જોઈને સોમચન્દ્ર મુનિ ઊભા થઈ ગયા. ગુરુચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, ગુરુદેવ, કેટલાક દિવસોથી મનમાં એક વિચાર ઘોળાયા કરે છે.' શા માટે વિચાર ઘોળાય છે? તે તારા વિચારો પણ મારાથી છુપાવ્યા નથી.” આપને કહેવો જ છે એ વિચાર. પરંતુ હજુ એ અંગે હું પોતે જ દ્વિધામાં છું, ગુરુદેવ ! પરંતુ આજે આપની આગળ બધી વાત કરી જ દેવી છે. આપ આસન ઉપર બિરાજો.' આચાર્યદેવ આસન ઉપર બેઠા. સોમચન્દ્ર મુનિ વિનયપૂર્વક તેમની પાસે બેઠા. ગુરુદેવ, જ્યારથી આપે મને ચૌદ પૂર્વેના જ્ઞાનની વાત કહી છે, પૂર્વધર મહર્ષિઓની વાર્તાઓ સંભળાવી છે, ત્યારથી મારા મનમાં એ ચૌદ પૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના મનોરથ પેદા થયા છે. પરંતુ એવું જ્ઞાન વિશિષ્ટ પ્રજ્ઞા વિના પ્રાપ્ત થઈ શકતું નથી. એવી વિશિષ્ટ બુદ્ધિ ના હોય તો આપનું અગાધ જ્ઞાન હું પામી ના શકું. ગુરુદેવ, એવી વિશિષ્ટ પ્રજ્ઞા, દેવી સરસ્વતીની ઉપાસના કરવાથી મળી શકે. એ ઉપાસના, દેવી સરસ્વતીની મૂળ શક્તિપીઠ જ્યાં હોય ત્યાં જઈને કરવાથી, શીધ્ર સફળ થાય છે. તે માટે કાશ્મીર જઈને સરસ્વતીઉપાસના કરવાની મારી ઇચ્છા છે. પરંતુ, ગુરુદેવ ! આપને છોડીને એટલા દૂરના પ્રદેશમાં જવા માટે મન માનતું નથી.” સોમચન્દ્ર મુનિની આંખો ભીની થઈ ગઈ. અવાજ 10 ) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy