SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મિશષ્ઠ - આચાર્યદેવ દેવચન્દ્રસૂરીશ્વરજી સ્વયં, સોમચક્ર મુનિને ભણાવે છે. - સાધુજીવનના આચાર-વિચારો શિખવાડે છે. – ખૂબ વાત્સલ્યથી સોમચન્દ્ર મુનિની સંભાળ રાખે છે. સોમચન્દ્ર મુનિ પૂરી એકાગ્રતાથી ભણે છે. ભણેલું યાદ રાખે છે. ગુરુમહારાજનો વિનય કરે છે. ગુરુમહારાજની સેવા કરે છે. એકલવ્યની જેમ તન્મય બનીને વિદ્યાભ્યાસ કરે છે. સાવધાનીથી સાધુજીવનના આચારોનું પાલન કરે છે. એક દિવસ ગુરુદેવે, સોમચન્દ્ર મુનિને મહાનજ્ઞાની પુરુષોનાં જીવનચરિત્ર સંભળાવ્યાં. ચૌદપૂર્વોના જ્ઞાતા શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સ્થૂલભદ્રસ્વામી વગેરેના અગાધ જ્ઞાનની વાતો કરી. સોમચન્દ્ર મુનિને જ્ઞાન અને જ્ઞાનીની વાતો ખૂબ ગમે. ગુરુદેવે તેમને ચૌદ પૂર્વ નામનાં શાસ્ત્રોનાં નામ અને તે શાસ્ત્રોના વિષયો સમજાવેલા હતા. ગુરુદેવ પાસે આવી વાતો સાંભળતાં સાંભળતાં સોમચન્દ્ર મુનિના મનમાં વિચારો આવતા : “હું આવો જ્ઞાની શું ના બની શકું ? હું આવો જ્ઞાની બનું તો ! મારે આવા જ્ઞાની બનવા માટે માતા સરસ્વતીદેવીની ઉપાસના કરવી જોઈએ. તો જ મને વિશિષ્ટ પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય. આ ઉપાસના મારે કાશ્મીર જઈને, સરસ્વતીદેવીની મૂળ પીઠમાં કરવી જોઈએ. હું ગુરુદેવને પૂછી જોઉં... જો તેઓ સહર્ષ અનુમતિ આપે.. તો હું કાશ્મીર જઈને સરસ્વતીની ઉપાસના કરું.” કેટલાક દિવસ સુધી સોમચન્દ્ર મુનિએ મનોમંથન કર્યું. પ્રાણ કરતાંય અધિક પ્રિય ગુરુદેવને છોડીને કાશ્મીર જેવા દૂર દેશમાં જવા માટે તેમનું મન પાછું પડતું હતું. બીજી બાજુ જ્ઞાનપ્રાપ્તિ માટે અને | મુનિ સોમચંદ્ર જી ૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy