SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ એમને અહીં બોલાવવા માટે વાગભટ્ટ વગેરે મંત્રી વર્ગને મોકલું. જો અહીં પધારી જાય, મારા ઉપર તથા કુમારપાલ ઉપર રીઝી જાય તો અને કામ સફળ થઈ જાય...' રાત થોડી જ બાકી રહી હતી. તેઓ સૂઈ ગયા. મુનિવર, અમારે પૂજ્ય ગુરુદેવનાં દર્શન કરવાં છે. અમે પાટણથી આવ્યા છીએ... કૃપા કરીને ગુરુદેવને કહો કે પાટણથી વાગભટ્ટ વગેરે આવેલા છે...' વાગભટ્ટ મંત્રી, બીજા આઠ રાજપુરુષોને લઈને ખંભાત પહોંચ્યા હતા. ગુરુદેવ દેવચસૂરિજીને, હેમચન્દ્રસૂરિજીનો સંદેશો આપવો હતો. ઉપાશ્રયમાં પ્રવેશ કરી, ત્યાં બેઠેલા એક મુનિરાજને વંદના કરી, નિવેદન કર્યું. ઉપાશ્રયના એક એકાંત ઓરડામાં જઈને એ મુનિરાજે ગુરુદેવને નિવેદન કર્યું. ગુરુદેવે કહ્યું : વાગભટ્ટને કહે કે એ અહીં આવી શકે છે.” મુનિરાજે વાગભટ્ટને કહ્યું. ' વાગુભટ્ટ, રાજપુરુષોની સાથે એ ઓરડામાં ગયા. ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી. વિનયપૂર્વક બેઠા. ગુરુદેવ, આપના પુણ્યદેહે સુખશાતા વર્તે છે?” દેવ-ગુરુકૃપાથી સુખશાતા વર્તે છે. કહો, અહીં આવવાનું કોઈ પ્રયોજન ?' “મારા ગુરુજી હેમચન્દ્રસૂરિજીનો સંદેશો લઈને આવ્યો છું.” “શો સંદેશો છે, મહાનુભાવ ?' આપને પાટણ પધારવા આગ્રહભરી વિનંતી કરી છે. પાટણ પધારવા કૃપા કરો.” દેવચન્દ્રસૂરિ વિચારમાં પડી ગયા. “એ મને શા માટે પાટણ બોલાવતો હશે? કોઈ મોટા કામ માટે જ બોલાવતો હશે. મારા ત્યાં ગયા વિના સંઘનું કાર્ય અટકી પડ્યું હશે. મોટા અને વિશેષ પ્રયોજન વિના એ મને ત્યાં ના બોલાવે !' ૧૫૮ સર્વજ્ઞ જેવા સૂક્ટિવ ૧૫૮ સર્વજ્ઞ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy