SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓએ વાગભટ્ટને કહ્યું : “મંત્રી, હું આવતી કાલે અહીંથી પાટણ તરફ વિહાર કરવાની ભાવના રાખું છું...' વાગભટ્ટ અને બીજા રાજપુરુષો રાજી થઈ ગયા. તેઓએ ગુરુદેવને વંદના કરી અને પાછલા પગે ઓરડામાંથી બહાર નીકળ્યા. ઝડપથી તેઓ પાટણ પહોંચ્યા. ગુરુદેવને શુભ સમાચાર આપ્યા. ગુરુદેવે કુમારપાલને કહ્યું : “રાજનું, ખંભાતથી ગુરુદેવે વિહાર કરી દીધો છે. થોડા જ દિવસોમાં તેઓ પાટણ પધારશે.” ગુરુદેવનું હું ભવ્ય સ્વાગત કરીશ !' રાજા કુમારપાલ અને પાટણનો સંઘ, દેવચન્દ્રસૂરિજીનું સ્વાગત કરવા પાટણની બહાર પહોંચે, એ પહેલાં તો ગુરુદેવ... કોઈનીય એમના પર નજર ના પડે એ રીતે ઉપાશ્રયમાં આવી ગયા...!” તેઓને જાહેરમાં દેખાવાનું ગમતું ન હતું. તેઓને માન-સન્માન ગમતાં ન હતાં. હેમચન્દ્રસૂરિજીએ એક શ્રાવકને કુમારપાલ પાસે દોડાવ્યો ને કહેવરાવ્યું : “ગુરુદેવ, ઉપાશ્રયમાં પધારી ગયા છે...” રાજા અને પ્રજા – સહુ ઉપાશ્રયમાં આવ્યા. – હેમચન્દ્રસૂરિજીએ ગુરુદેવને ભાવથી વંદના કરી. – રાજાએ અને પ્રજાએ પણ વંદના કરી. ગુરુદેવે ત્યાં સાદા અને સરળ શબ્દોમાં થોડો સમય ધર્મનો ઉપદેશ આપ્યો. પછી સભામાં જ તેઓએ હેમચન્દ્રસૂરિજીને પૂછ્યું : કહો, સંઘનું શું કાર્ય છે ?' હેમચન્દ્રસૂરિજીએ સભાનું વિસર્જન કર્યું. કુમારપાલ સિવાય બધા જ ગૃહસ્થોને વિદાય કરીને, ગુરુદેવને કહ્યું : ‘પડદા પાછળ પધારો. ત્યાં બેસીને વાત કરીએ.' ગુરુદેવ, હેમચન્દ્રસૂરિજી અને કુમારપાલ, ત્રણે જણા પડદા પાછળ બેઠા. હેમચન્દ્રસૂરિજીએ ગુરુદેવને કહ્યું : ગુરુદેવ, આ પરમાહિત રાજા કુમારપાલે પોતાના દેશમાંથી હિંસાને [ સાચી સુવર્ણ સિદ્ધિ : ૧૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy