SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાનું ના રહેવા દે !” હેમચન્દ્રસૂરિ પાસે બીજી બધી યોગશક્તિઓ હતી... આકાશમાં ઊડી શકતા હતા... અને દેવ-દેવીઓના ઉપદ્રવો શાન્ત કરી શકતા હતા. ગમે તેવા રોગોને શાન્ત કરી શકતા હતા. પરંતુ લોઢાને સોનું બનાવી શક્યા ન હતા ! દુનિયામાં એવી વનસ્પતિ હોય છે કે જેનો રસ લોઢાના ટુકડા ઉપર નાંખો... એટલે લોઢું સોનું બની જાય ! જ્યારે હેમચન્દ્રસૂરિ નાના હતા... ‘સોમચન્દ્ર” મુનિ હતા ત્યારે તેમણે તેમના ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિને આગ્રહ કરીને કહેલું : ‘ગુરુદેવ, શું લોઢાને સોનું બનાવી શકાય તેવી વનસ્પતિ હોય છે ખરી ? કે માત્ર વાતો જ છે બધી ? ત્યારે ગુરુદેવે, એક દિવસ માર્ગ પરથી પસાર થતી એક સ્ત્રીને જોઈ, તો માથા પર લાકડાનો ભારો હતો. તે ભારાને એક વેલથી બાંધ્યો હતો... એ વેલ ગુરુદેવે જોઈ. તુર્ત જ એક વિશ્વાસપાત્ર શ્રાવકને દોડાવીને, પેલી વેલ ખરીદાવીને મંગાવી. શ્રાવક પાસે વેલનો રસ કઢાવ્યો. પછી એક લોઢાનો ટુકડો મંગાવ્યો. વેલના રસમાં અમુક ઔષધિઓ નંખાવી. પછી એ રસને લોઢાના ટુકડા ઉપર રેડ્યો. સોમચન્દ્ર મુનિ આ પ્રયોગ જોઈ રહ્યા હતા. ધીરે ધીરે એ ટુકડો સોનાનો થઈ ગયો ! આ ‘સુવર્ણસિદ્ધિ' હતી ! આજની રાતે આ ઘટના હેમચન્દ્રસૂરિને યાદ આવી. જો ગુરુદેવ આ સુવર્ણસિદ્ધિ કુમારપાલને આપે તો...? કુમારપાલ હજારો મણ ... લાખો મણ સોનું બનાવી શકે અને આ પૃથ્વી પર એકેય મનુષ્યને નિર્ધન ના રહેવા દે ! પરંતુ ગુરુદેવ તો ખંભાતમાં બિરાજે છે... એકાંતમાં રહે છે... ને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. કોઈ સંઘનું કાર્ય હોય તો જ બહાર આવે છે... શું મારી વિનંતીથી એ અહીં પાટણ પધારશે ખરા ? તેઓને આ બધી રાજખટપટો ગમતી નથી... કેટલીક મારી પ્રવૃત્તિઓ પણ ગમતી નથી... કે જે પ્રવૃત્તિઓ હું જિનશાસનની પ્રભાવના માટે કરું છું. ખેર, સાચી સુવર્ણ સિદ્ધિ ! Jain Education International For Private & Personal Use Only ૧૫૭ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy