SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર આચાર્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના ઉપદેશથી રાજા કુમારપાલે ઘણાંઘણાં સત્કાર્ય કર્યાં. -- દેશ-વિદેશમાં અહિંસા-ધર્મનો પ્રસાર કર્યો. પ્રજા તો ગળીને પાણી પીતી હતી. પશુઓને પણ ગાળેલું જ પાણી પાવામાં આવતું હતું. ૧૪ હજાર નવાં જિનમંદિર બંધાવ્યાં. ૧૬ હજા૨ દેરાસરોનો જીર્ણોદ્ધાર કર્યો. સ્વયં ચોમાસામાં રોજ એકાસણું કરતા. માર' એવો શબ્દ મોઢામાંથી નીકળતાં એક ઉપવાસ કરતા. અસત્ય બોલાઈ જતાં આયંબિલ કરતા. સોના-ચાંદીની શાહીથી આગમગ્રંથો લખાવ્યા. ‘ત્રિષ્ટિશલાકાપુરુષચિરત'ના ૩૬૦૦૦ શ્લોકો લખાવીને એ ગ્રંથને હાથી પર પધરાવી, પાટણમાં વરઘોડો કાઢ્યો ! ૭૦૦ લહિયાઓ પાસે ગુરુદેવના લખેલા ગ્રંથોને લખાવીને, દેશવિદેશના જ્ઞાનભંડારોમાં મુકાવ્યા. આ બધું કરવા છતાં એક સત્કાર્ય તરફ રાજાનું ધ્યાન જતું ન હતું. ગુજરાતમાં લાખો દુઃખી જૈનો હતા. તેમનાં દુઃખ દૂર કરવા માટે રાજાને વિચાર આવતો ન હતો. ગુરુદેવ, આ કામ એવી રીતે કરવા ઇચ્છતા હતા કે રાજા પર તત્કાલ ધારી અસર થાય. એ માટે તેઓ એવા કોઈ અવસરની રાહ જોતા હતા. એવો અવસર આવી લાગ્યો. ગુરુદેવ પાટણ પધારવાના હતા. રાજાએ ગુરુદેવનું ભવ્ય પાટણ સ્વાગત કરવાની તૈયારીએ કરાવી અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર Jain Education International For Private & Personal Use Only ૧૫૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy