SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. રાજમાર્ગોને ધજાઓ અને તોરણોથી શણગારવામાં આવ્યા હતા. જે રાજમાર્ગો પરથી સ્વાગતયાત્રા પસાર થવાની હતી, તે રાજમાર્ગોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા. મંદિરોમાં મહોત્સવો રચવામાં આવ્યા હતા. ગરીબોને ભોજન આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. સ્વાગતયાત્રામાં જોડાવા માટે રાજાએ પોતાના તાબાના અનેક રાજાઓને પાટણ તેડાવ્યા હતા. આજુબાજુનાં ગામ-નગરોના શ્રેષ્ઠીઓને પણ ગુરુદેવના પ્રવેશ-ઉત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યાં હતાં. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. ગુરુદેવ, પાટણની બાજુના ગામમાં આવી ગયા હતા. બીજા દિવસે પાટણમાં પ્રવેશ કરવાનો હતો. રાજા કુમારપાલ, અન્ય રાજાઓની સાથે રથ જોડાવીને ગુરુદેવને વંદન કરવા એ પાસેના ગામમાં જવા નીકળ્યા. એક વૃદ્ધ ડોશીમાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. એની ઇચ્છા ગુરુદેવનાં દર્શન કરવાની હતી અને ગુરુદેવને વસ્ત્ર વહોરાવવાની હતી. તેણે ગુરુદેવને વંદના કરી. ગુરુદેવે એને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા. ગુરુદેવ, આ કપડું મેં જાતે વણેલું છે. મારે તમને આપવું છે.' ડોશીના શરીર ઉપરનાં કપડાં, એની ગરીબીની ચાડી ખાતાં હતાં. એના કપાળમાં કેસરનો મોટો ચાંલ્લો હતો, એટલે એ “જૈન” હતી, એ સમજાય એવી વાત હતી. ગુરુદેવે એ વસ્ત્ર વહોરી લીધું. ડોશીમા ખૂબ રાજી થયાં. ગુરુદેવની ખૂબ પ્રશંસા કરતાં. પોતાના ઘરે ગયાં. ગુરુદેવે એ જ જાડું ને ખડબચડું વસ્ત્ર પોતાના શરીરે પહેરી લીધું. મન્થઅણં વંદામિ...” કહેતા રાજા કુમારપાલે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. એમની પાછળ બીજા રાજાઓએ પણ પ્રવેશ કર્યો. (૧૫૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy