SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવરો, લહિયાઓ અને અનેક સ્ત્રી-પુરુષો નવાઈ પામ્યાં. આશ્ચર્યચકિત થઈ ગયાં. ગુરુદેવે કહ્યું : ‘કુમારપાલ, તમારી ધર્મશ્રદ્ધાએ સરજેલા ચમત્કારને મારે પ્રત્યક્ષ જોવો છે. ચાલો, આપણે તમારા એ બાગમાં જઈએ.’ સહુ બાગમાં ગયાં. જે તાલ-વૃક્ષની રાજાએ પૂજા કરી હતી, તે તાલ-વૃક્ષ જોયું, અને બીજાં તાલ-વૃક્ષો જોયાં. બધાં જ નવપલ્લવિત બની ગયાં હતાં. જેમ જેમ આ વાત પાટણમાં ફેલાતી ગઈ, તેમ તેમ અઢારે કોમનાં લોકો બાગમાં આવવા લાગ્યાં. ચમત્કારને નજરે જોઈને બધાં રાજાના ગુણ ગાવા લાગ્યાં. ગુરુદેવે ત્યાં સહુને સંબોધન કરતાં કહ્યું : ‘મહાનુભાવો, જૈન ધર્મનો આ દિવ્ય પ્રભાવ છે. સુકાઈ ગયેલાં તાલ-વૃક્ષો નવપલ્લવિત થઈ ગયાં ! માટે હે ભવ્યજનો, જૈન ધર્મનું તમારે પાલન કરવું જોઈએ.’ ઘણા બધા લોકોએ જૈન ધર્મને અપનાવ્યો. મહેલે જઈને કુમારપાલે ઉપવાસનું પારણું કર્યું. *** ૧૫૦ Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy