SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલ રાજમહેલમાં ગયા. " તેમના મનમાં વિચાર આવ્યો : ૬ મારે કાશ્મીરના તાલ-પત્રો ૫૨ આધાર રાખવાનો ? શું અહીં પાટણમાંથી તાલ-પત્રો ના મળી શકે ?’ તેમણે પોતાના બાગના માળીને બોલાવીને પૂછ્યું : ‘માળી, આપણા બાગમાં તાલ-વૃક્ષો છે ખરાં ?' ‘મહારાજા, તાલ-વૃક્ષો તો છે, પરંતુ એનાં પત્રો સારાં નથી હોતાં.' ‘એટલે ?’ ‘મહારાજા, એ વૃક્ષોનાં તાલ-પત્ર કોઈ કામમાં આવે એવાં નથી !’ ‘સારું, તું જઈ શકે છે.' માળી ગયો. મહારાજા ઊંડા વિચારમાં ડૂબી ગયા. ‘શું એ તાલ-પત્રોને સારાં ન બનાવી શકાય ? નવાં તાલ-વૃક્ષ વાવવામાં આવે... તો એમાં વર્ષો વીતી જાય... ના, ના, આ જ તાલ-વૃક્ષોનાં તાલ-પત્રને સુધારવાં જોઈએ. વૃક્ષોના પણ અધિષ્ઠાયક દેવો હોય છે ! મેં સાંભળ્યું છે કે કેટલાંક વૃક્ષો પર દેવોના વ્યંતર દેવોના વાસ હોય છે. તેમને પ્રસન્ન કરવામાં આવે તો ? મારી ભાવના વિશુદ્ધ છે. મારે ધર્મના ગ્રંથો લખાવવા છે. મારું મન નિર્મળ છે, પવિત્ર છે. મને મારા પરમાત્મા ઉ૫૨, મારા ગુરુદેવ ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. મારી શ્રદ્ધા ઉ૫૨ દેવો પ્રસન્ન થશે જ. હું બાગમાં જાઉં અને વૃક્ષ-દેવતાઓને પ્રસન્ન કરું !' સંધ્યાસમયે કુમારપાલ, પૂજનસામગ્રી સાથે, રથમાં બેસીને બગીચામાં ગયા. જ્યાં તાલ-વૃક્ષો હતાં તે જગા પર ગયા. નોકરે જગા સાફ કરી. આસન પાથર્યું. એ આસન પર બેસીને રાજાએ વૃક્ષપૂજા શરૂ કરી. એ વૃક્ષ પર ચંદનનું વિલેપન કર્યું. કંકુનાં છાંટણાં કર્યાં. સુગંધી પુષ્પોથી વધાવ્યું. પછી બે હાથ જોડી, એકાગ્ર મન કરી, વૃક્ષદેવતાને પ્રાર્થના કરી : ધર્મશ્રદ્ધાનો ચમત્કાર Jain Education International For Private & Personal Use Only ૧૪૭ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy