SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ હે વૃક્ષદેવતા, મને મારી જાત ઉપર જેટલો પ્રેમ છે, આદર છે, એનાથી પણ વિશેષ પ્રેમ અને આદર જૈન ધર્મ ઉપર હોય તો તમે બધાં તાલ-વૃક્ષો સારાં બની જાઓ. સુંદર બની જાઓ.” એમ પ્રાર્થના કરીને રાજાને પોતાના ગળામાંથી સોનાનો હાર કાઢીને તાલ-વૃક્ષને પહેરાવ્યો ! રાજા રથમાં બેસીને મહેલે આવ્યા. આખી રાત રાજાએ ધર્મધ્યાન કર્યું. પ્રભાતે ઉપવાસનું પારણું કર્યા વિના કુમારપાલ ગુરુદેવનાં દર્શનવંદન કરવા ઉપાશ્રયે ગયા. દર્શન-વંદન કરીને પછી ઉપદેશ સાંભળવા બેઠા. બીજાં સ્ત્રી-પુરુષો પણ ઉપદેશ સાંભળવા આવીને બેઠાં. ગુરુદેવે સાકર જેવી મધુર વાણીમાં ઉપદેશ આપવા માંડ્યો. ત્યાં બગીચાના માળીએ પ્રફુલ્લવદને ઉપાશ્રયમાં પ્રવેશ કયો. ચુપચાપ એ પણ ઉપદેશ સાંભળવા બેસી ગયો. ઉપદેશ પૂરો થયો. માળીએ મહારાજાને પ્રણામ કરીને, નિવેદન કર્યું : મહારાજા, આપની વૃક્ષપૂજા ફળી છે ! મેં વહેલી સવારે એ તાલ-વૃક્ષો જોયાં. વૃક્ષો સંપૂર્ણ નિરોગી અને સુંદર બની ગયાં છે ! ધન્ય છે આપની ધર્મશ્રદ્ધાને ! પ્રભુ, આવો ચમત્કાર તો પહેલ-વહેલો જ જોયો !' કુમારપાલે પોતાના ગળામાંથી સોનાનો હાર કાઢીને માળીને ભેટ આપ્યો અને કહ્યું, તું બાગમાં જા અને એ તાલ-પત્રો અહીં લઈ આવ. લાવીને આ લહિયાઓને આપ.” માળી ખૂબ રાજી થઈને ગયો. ગુરુદેવે કુમારપાલને પૂછ્યું : “આ બધું શું છે ?' કુમારપાલે વૃક્ષ-દેવતાની પૂજાની વાત કરી. સાંભળીને ગુરુદેવ, (૧૪૮ ડી સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy