SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ધશ્રદ્ધાની શ્રમદ્ભાશ | ગુરુદેવના હૃદયમાં જિનેશ્વરદેવ વસતા હતા. ગુરુદેવની જીભ ઉપર દેવી સરસ્વતી વસતાં હતાં ! ગુરુદેવે કેટલા બધા ગ્રંથો લખ્યાં ! ઘણા-ઘણા વિષયો ઉપર ગ્રંથો લખ્યા... ગુરુદેવની પ્રેરણાથી રાજા કુમારપાલ પણ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ભણ્યા. સંસ્કૃત ભાષા પર સારું પ્રભુત્વ મેળવ્યું. કુમારપાલે સંસ્કૃત ભાષામાં કાવ્યોની રચના કરી. એટલું જ નહીં, ગુરુદેવ જે કોઈ ગ્રંથ લખે, તે ગ્રંથને સાતસો લહિયાઓ પાસે લખાવતા હતા. સોનાની શાહીથી ગ્રંથો લખાવ્યા. ચાંદીની શાહીથી ગ્રંથો લખાવ્યા. અને કાળી શાહીથી પણ ગ્રંથો લખાવ્યા ! ગ્રંથો લખવા માટે કાશ્મીરથી ખાસ કાગળ મંગાવવામાં આવતા ! એ કાગળોના પ્રમાણસર ટુકડા કરવામાં આવતા. પછી એના ઉપર, ચારે બાજુએ ચિત્રકામ કરવામાં આવતું. લહિયાના અક્ષર એટલે મોતીના દાણા ! ગુરુદેવે હજારો નહીં, લાખો નહીં, કરોડો શ્લોકોની રચના કરી ! અને કુમારપાલે એ શ્લોકોને સારા ટકાઉ કાગળો ઉપર લખાવ્યા ! કુમારપાલ રોજ પ્રભાતે ગુરુદેવને વંદના કરવા ઉપાશ્રયે જતા. એ વખતે એને અભુત દૃશ્ય જોવા મળતું હતું. ગુરુદેવ જરાય અટક્યા વિના મધુર સ્વરે શ્લોકો બનાવી-બનાવીને બોલતા હોય અને એમના વિદ્વાન શિષ્યો લખતા હોય ! લહિયાઓ એ શ્લોકોને સારા સુંદર અક્ષરોમાં, કાશ્મીરી કાગળ ઉપર લખતા હોય ! આ જ્ઞાનોપાસના જોઈને કુમારપાલ આનંદવિભોર બની જતા. તેમણે આ કાર્યની દેખભાળ કરવા એક નિષ્ઠાવાન પુરુષને નિયુક્ત કર્યો હતો. એ પુરુષ, ગુરુદેવને જે ગ્રંથ જોઈએ તે જ્ઞાન ભંડારમાંથી ધર્મશ્રદ્ધાનો ચમત્કાર ૧૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy