SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મારી શક્તો હોય એ દેશમાં રાજાની આજ્ઞાનું કેવું અદ્ભુત પાલન ! અને, તમારા જેવા સમ્રાટ રાજા, ગુરુના ચરણોમાં બેસીને રોજેરોજ ઉપદેશ સાંભળે, ગુરુની એકે-એક આજ્ઞા માને... તો ગુજરાતમાં જ જોયું !' મહમદ સાથે કુમારપાલે ઘણી વાતો કરી... ધર્મની વાતો કરી અને પોતાની રાજનીતિની વાતો કરી. ત્રણે દિવસ મહમદે ગુરુદેવ હેમચન્દ્રસૂરિની મુલાકાતો લીધી, અને જૈન ધર્મના ઉપદેશ સાંભળ્યા. જતી વખતે મહમદે જ કહ્યું : ‘ગુરુદેવ, મારા રાજ્યમાં પ્રતિવર્ષ છ મહિના જીવહિંસા નહીં થવા દઉં. આપની આજ્ઞાનું પાલન કરીશ.' કુમારપાલે મહમદને સુંદર રથ આપ્યો. ભાવભરી વિદાય આપી. સાથે, પચીસ બુદ્ધિશાળી અને બળવાન રાજપુરુષોને મોકલ્યા. તેમને કહ્યું : ‘તમે મહમદ સાથે એના દેશમાં જજો. ત્યાં થોડા દિવસ રહી પાછા આવજો.’ પાટણમાં ચોરે ને ચૌટે મહમદની જ વાત ચાલતી રહી. મહમદના પલંગને જોવા ઉપાશ્રયમાં લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યાં. ગુરુદેવે કરેલા ચમત્કારની વાતોએ, પ્રજામાં ગુરુદેવ પ્રત્યે ખૂબ પ્રેમભાવ વધારી દીધો. મહમદે પોતાના મલકમાં જઈને ઢંઢેરો પિટાવ્યો. ‘વર્ષમાં છ મહિના કોઈએ પણ જીવહિંસા કરવાની નથી. જે કોઈ જીવહિંસા કરશે તેને મૃત્યુની સજા થશે.' પછી બાદશાહે, કુમારપાલ માટે ખૂબ ભેટ-સોગાતો ગુજરાતના રાજપુરુષોને આપીને, ભાવભરી વિદાય આપી. આ રીતે મુસલમાનના દેશમાં પણ કુમારપાલે અહિંસાધર્મનો પ્રચાર કરાવ્યો. ૧૪૪ Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy