SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યો... ગદ્ગદ સ્વરે બોલ્યો, ગુરુદેવ, મારી મોટી ભૂલ થઈ... મારી રક્ષા કરો...' ગુરુદેવે કહ્યું : “બાદશાહ, તે પહાડ જેવડી મોટી ભૂલ કરી છે. તું કુમારપાલની અગાધ શક્તિને જાણતો નથી.” બાદશાહ બોલ્યો : “હું કબુલ કરું છું ગુરુદેવ, મેં મોટી ભૂલ કરી. જેના માથે આપના જેવા ખુદાના અવતારનો હાથ હોય...એને મારા જેવો પામર મનુષ્ય કેવી રીતે જીતી શકે ?” - કુમારપાલે કહ્યું : “શું તે મારી પ્રચંડ સેનાનાં અપૂર્વ પરાક્રમો નહોતાં સાંભળ્યા? મારી યુદ્ધકુશળતાની વાતો નહોતી જાણી?” જાણી હતી ગુજરશ્વર, પરંતુ તમે ચાતુર્માસમાં યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. એ જાણીને હું ચઢી આવ્યો. વગર યુદ્ધ ગુજરાતનું વૈભવશાળી રાજ્ય મેળવી લેવાની લાલચથી આવી ગયો. મને ક્ષમા કરો રાજેશ્વર. અને મને પાછો મારી છાવણીમાં પહોંચાડી દો. મારા સૈનિકો મને અને મારા પલંગને નહીં જુએ... તો ચિંતામાં પડી જશે.' કુમારપાલે ત્રાડ પાડી : “અરે દુષ્ટ, શું તને હું અહીંથી જીવતો જવા દઈશ ? તારા જેવા દુર્જન ઉપર વિશ્વાસ ના કરાય. અપરાધીને સજા કરવી જ જોઈએ. હું તારો વધ કરીશ.” કુમારપાલ બાદશાહ તરફ ધસી ગયા. ગુરુદેવ બોલ્યો : “કુમારપાલ, બાદશાહે તારું શરણ લીધું છે. તારી સાથે એને દોસ્તી બાંધવી છે. એનો વધ ના કરાય. એને હું અભયદાન આપું છું.' કુમારપાલે કહ્યું : “ભગવન્, આ યવનરાજાઓ જરાય વિશ્વાસ કરવા લાયક નથી. વચનભંગ કરવામાં કે વિશ્વાસભંગ કરવામાં તેઓ પાપ માનતા નથી. ઉપકારીના ઉપકારોને તેઓ ક્ષણવારમાં ભૂલી જાય છે. આવા દુષ્ટો ઉપર દયા કરવાનો કોઈ અર્થ નથી.' ગુરુદેવે બોલ્યા : “રાજનું, આપણે બાદશાહનું હૃદયપરિવર્તન કરીશું. તમારે એની પાસેથી જે કબૂલાત લેવી હોય તે લઈ લો. એ જરૂર એનું પાલન કરશે.' (૧૪૨ ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy