SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ રંગમાં ભંગ પડ્યો. ગુપ્તચરોએ આવીને મહારાજા કુમારપાલને કહ્યું : “મહારાજા, રાજા કર્ણ વિશાળ સૈન્ય લઈને ગુજરાત તરફ ધસી આવે છે. ત્રણ દિવસમાં એ પાટણમાં સીમાડે પહોંચી શકે !” - કુમારપાલને રાજા કર્ણનો ભય ન હતો. આવા સો કર્ણ આવે.. તો ય કુમારપાલ પહોંચી વળે એવા હતા, પરંતુ એમને ચિંતા થઈ તીર્થયાત્રાની ! રાજા કર્ણી, કુમારપાલની ગેરહાજરીનો લાભ ઉઠાવી લેવા જ આ આક્રમણ યોજના બનાવી હતી. કર્ણ પરાક્રમી રાજા હતો. એની પાસે શૂરવીર યૌદ્ધાઓ હતા. હજારો હાથી-ઘોડા હતા. કુમારપાલે ગુરુદેવનું માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો. જો એ કર્ણ સાથે યુદ્ધ કરવા જાય તો તીર્થયાત્રા બંધ રાખવી પડે. તીર્થયાત્રા કરવા જાય તો રાજા કર્ણ ગુજરાત જીતી લે ! કુમારપાલ ઉપાશ્રયે પહોંચ્યા. વાગભટ્ટ મંત્રી સાથે હતા. ગુરુદેવને વંદના કરી, કહ્યું : “ગુરુદેવ, આપની સાથે મારે એકાંતમાં મહત્ત્વની વાત કરવી છે.' ઉપાશ્રયમાં એક ખંડમાં બંને ગયા. કુમારપાલે કહ્યું : “ગુરુદેવ, ગુપ્તચરો હમણાં સમાચાર લાવ્યા છે કે રાજા કર્ણદેવ ગુજરાત પર ચઢી આવે છે. બે-ત્રણ દિવસમાં જ એ પાટણના દરવાજા ખટખટાવશે. જો આપણે આવતી કાલે અહીંથી તીર્થયાત્રા માટે પ્રયાણ કરી જઈએ તો એ રાજા મારા રાજ્યને ધમરોળી નાંખશે. જો એની સામે યુદ્ધ કરવા જાઉં તો યુદ્ધ લંબાશે... કારણ કે એકબે દિવસમાં જીતી શકાય એવો આ રાજા નથી. ઉત્તર તરફના રાજયનો એ રાજા છે. પરાક્રમી છે. જો યુદ્ધ લંબાય તો તીર્થયાત્રા બંધ રાખવી પડે...તો બહારથી રાજાઓ અને પ્રજાજનોને નિરાશ થઈને પાછા જવું પડે.. ગુરુદેવ, કેવું વિપ્ન આવી પડ્યું ? મારા શુભ મનોરથના મહેલ પર જાણે વીજળી પડી...' ૧૩૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy