SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ આંખો બંધ કરીને સાંભળી રહ્યા હતા. કુમારપાલ બોલી રહ્યા હતા. ગુરુદેવ, મારા કરતાં તો આ વાગ્યભટ્ટ જેવા શ્રેષ્ઠીઓ વધુ પુણ્યશાળી છે કે તેઓ સુખપૂર્વક સંઘ લઈને તીર્થયાત્રા કરી શકે છે... કરાવી શકે છે... સંઘપતિ બની શકે છે ! હું અભાગી છું ગુરુદેવ, મારા શુભ મનોરથનું કુમળું વૃક્ષ દુર્ભાગ્યે બાળી નાંખ્યું.' કુમારપાલની આંખોમાં આંસુ ધસી આવ્યાં. ગુરુદેવે આંખો ખોલી. રાજા સામે જોયું. ગુરુ-શિષ્યની દૃષ્ટિ મળી. ગુરુદેવ બોલ્યા, કુમારપાલ, સ્વસ્થ બનો. ધીર બનો. તીર્થયાત્રાના પ્રયાણનું મુહૂર્ત બાર પ્રહર પછી છે. (એક પ્રહરના ત્રણ કલાક) એ મુહૂર્ત સંઘ પ્રયાણ કરશે જ. અને એ પહેલાં આવેલું વિપ્નનું વાદળ વિખેરાઈ જશે !” - કુમારપાલે રૂમાલથી આંખો લૂછી નાંખી. તેમને ગુરુદેવ પર અપાર શ્રદ્ધા હતી ! ગુરુદેવનાં વચનો સાંભળીને તેમને આશ્ચર્ય થયું! શોક દૂર થઈ ગયો. દ્વિધા નાશ પામી ગઈ ! નિરાશા નાસી ગઈ ! પરંતુ એક જિજ્ઞાસાને હૃદયમાં સંતાડીને, રાજા અને મંત્રી મહેલમાં આવ્યા. “કેવી રીતે વિપ્ન ટળી જશે ? ગુરુદેવ કોઈ ચમત્કાર કરશે ? કર્ણ રાજા પાછો વળી જશે ? ગુરુદેવ પોતાના યોગબળથી નવું સૈન્ય બનાવીને કર્ણ સામે લડવા મોકલશે? કર્ણના વિચારો બદલી નાંખશે? શું કરશે ગુરુદેવ ? પરંતુ ગુરુદેવને પૂછવાનું તો હતું જ નહીં ! રાહ જોવાની હતી ! બાર પ્રહાર પહેલાં વિઘ્ન ટળી જવાનું હતું... ત્યાં સુધી ધર્મધ્યાન કરવાનું હતું. સંઘપ્રયાણની તૈયારીઓ ચાલુ રાખવાની હતી !” આઠ પ્રહર વીતી ગયા હતા. પ્રભાતનો સમય હતો. મહારાજા મહેલના ઝરૂખામાં બેઠા-બેઠા સ્વાધ્યાય કરતા હતા. વીતરાગ સ્તોત્ર અને મહાદેવ સ્તોત્ર એ બે | સચટ ભવિષ્યવાણી ૧૩૩) સચોટ ભવિષ્યવાણી ૧૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy