SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તો પછી ગુરુદેવ, યાત્રા-પ્રયાણનો શુભ દિવસ, શુભ મુહૂર્ત મને આપો. એ દિવસે આપણે અહીંથી પ્રયાણ કરીશું.' ‘રાજ, આ તીર્થયાત્રામાં સાથે આવવા માટે ગુજરાતમાં વિચરતા જૈનાચાર્યોને આમંત્રણ આપવાં જોઈએ. તમારા મિત્ર રાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ આમંત્રણ મોકલવાં જોઈએ. પાટણના અને અન્ય શહેરોના મુખ્ય મુખ્ય શ્રેષ્ઠીઓને બોલાવવા જોઈએ. રાજ્યમાં ઢંઢેરો ફેરવવો જોઈએ કે જે કોઈ સ્ત્રી-પુરુષને શત્રુંજય તીર્થની યાત્રા માટે આવવાની ભાવના હોય તે સર્વેને મહારાજા કુમારપાલનું ભાવભર્યું આમંત્રણ છે.' રાજાએ આમંત્રણો પાઠવ્યાં. રાજાએ રાજ્યભરમાં ઢંઢેરો ફેરવ્યો. પાટણમાં જિનભક્તિના મહોત્સવ મંડાણા. સાધર્મિકોને ભોજન માટે આમંત્રણ પાઠવ્યાં. જેલોમાંથી કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. વાગ્ભટ્ટ મંત્રીને અને આમ્રભટ્ટ મંત્રીને, સંધયાત્રાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી. સેંકડો રથ અને પાલખીઓ શણગારવામાં આવી. હજારો હાથી અને ઘોડાઓ શણગારવામાં આવ્યા. જેમ જેમ યાત્રાના પ્રયાણનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ પ્રજાજનોનાં અને રાજપરિવારનાં હૈયાં હેલે ચડ્યાં ! ચારે બાજુ ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું. સર્વત્ર હેમચન્દ્રસૂરિ અને કુમારપાલના ગુણગાન થવા લાગ્યા. આમંત્રણ મળતાં, રાજાઓ આવ્યા. આમંત્રણ મળતાં શ્રેષ્ઠીઓ આવ્યા. – શ્રીમંતો આવ્યા અને ગરીબો આવ્યા. પુરુષો આવ્યા. સ્ત્રીઓ આવી, બાળકો આવ્યાં ! પાટણમાં માનવ-મહેરામણ ઊભરાણો ! સચોટ ભવિષ્યવાણી Jain Education International For Private & Personal Use Only ૧૩૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy