SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ભાનમાં આવ્યા. તેમની બધી જ વેદના શાન્ત થઈ ગઈ. યશશ્ચંદ્ર રણમલને કહ્યું : “રણમલ, હવે બધાં જ ફળ અને નૈવેદ્ય સેંધવી દેવીને ધરાવી દે ! પછી આપણે ઉપાશ્રયે જઈએ.” રણમલે દેવીની આગળ થાળ મૂકી દીધો. આચાર્યદેવ, યશશ્ચંદ્ર મુનિ અને રણમલ ત્રણે ક્ષેમકુશળ ઉપાશ્રય પાછા આવ્યા. રણમલે યશશ્ચંદ્રને કહ્યું : “ગુરુદેવ, મને તમારો શિષ્ય બનાવો.. ને આવી મંત્ર-વિદ્યાઓ મને આપો...કે હું પણ આવાં પરોપકારનાં કામ કરી શકુ !” ગુરુદેવે તેને આશીર્વાદ આપ્યા. તે પોતાના ઘેર ગયો. આદ્મભટ્ટ પોતાની માતા અને પત્ની સાથે, સવારે આચાર્યદેવની પાસે આવ્યા. વંદના કરી. આદ્મભટ્ટ તો ગુરુદેવના ખોળામાં મસ્તક મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આમ્રભટ્ટના મસ્તકે હાથ ફેરવતાં ગુરુદેવે કહ્યું : “અબડ, શાન્ત થા. આવું બધું તો ચાલ્યા કરે. દૈવી ઉપદ્રવ શાંત થઈ ગયો છે.” ‘ગુરુદેવ, મારા માટે આપને પાટણથી અહીં સુધી દોડવું પડ્યું... આપને મેં કટલી બધી તકલીફ આપી ? મને દુઃખ આ વાતનું છે.” “અંબડ, હું તારી ખાતર નથી આવ્યો. તું ઉદયન મહામંત્રીનો પુત્ર છે, માટે નથી આવ્યો...હું આવ્યો છું જિનશાસનના એક સુભટની રક્ષા માટે ! તું મારા જિનશાસનનો અજોડ યોદ્ધો છે ! દુનિયામાં જિનશાસનનો વિજયધ્વજ ફરકાવનાર છે...અનેક જીવોને અભયદાન આપનાર છે. માટે હું આકાશમાર્ગે અહીં આવ્યો છું. હવે અહીંથી પદયાત્રા કરીને પાછો પાટણ જઈશ.” આમ્રભટ્ટનાં વયોવૃદ્ધ માતા પદ્માવતીએ કહ્યું : “ગુરુદેવ, તમે મારા પરિવાર પર પરમ ઉપકાર કર્યો છે. જમરાજ પાસેથી મને મારો પુત્ર પાછો લાવીને આપ્યો છે...ભવોભવ હું તમારો ઉપકાર નહીં ભૂલું.' આચાર્યદેવે કહ્યું : “માતાજી, હું તમારો ઉપકાર નથી ભૂલ્યો ! તમારી ગોદમાં બેસાડીને તમે યંગદેવને હેતથી ખવડાવેલું છે...વત્સલ્યનું અમૃત પિવડાવેલું છે. એ દિવસો મને આજે પણ યાદ છે. મહામંત્રી ૧૨૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy