SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા. સહુ ગભરાઈ ગયા. આદ્મભટ્ટને વળગેલી શાકણો પણ ડરી ગઈ. તે બધી દોડીને સેંધવી દેવીની પાસે આવી.. ત્યાં આવતાં જ યશશ્ચઢે તે બધી ડાકણોને મંત્રશક્તિથી બાંધી લીધી. ત્યાંથી જરાય ખસી ન શકે, એ રીતે જમીન સાથે ચોટાડી દીધી. યશશ્ચંદ્રે કહ્યું: ‘રે દુઓ, તમે આઝભટ્ટને સતાવવાનું બંધ કરો, નહીંતર હું તમને છોડીશ નહીં.' ડાણોના શરીરમાં એકસાથે હજાર-હજાર ભાલા ભોકાતા હોય, તેવી ઘોર વેદના થવા લાગી. તેમની આંખો ભયથી વ્યાકુળ થઈ ગઈ. યશશ્ચંદ્રના ભયથી થરથર કંપવા લાગી. યશશ્ચંદ્ર ગર્જના કરતાં પૂછ્યું : “બોલો ડાકણો, શું વિચાર છે તમારો? આદ્મભટ્ટને મુક્ત કરવા છે કે નહીં ?'. રોતી-કકળતી ડાકણોએ કહ્યું : “હે મુનિરાજ, મને ક્ષમા કરો. અમે તમારા ભક્ત આમભટ્ટને છોડી દઈએ છીએ. પરંતુ પહેલાં અમને મુક્ત કરો...' “ના રે ના, તમે મને છેતરી ના શકો. તમારા જેવી ડાકણો પર હું વિશ્વાસ ના કરું. પહેલાં આદ્મભટ્ટને મુક્ત કરો. તમને આટલું દુઃખ થાય છે તો આદ્મભટ્ટને કેટલું દુઃખ થતું હશે ? હજુ માની ઓ...નહીંતર નરકની વેદના અહીં જ સહેવી પડશે...જમીન પર માથાં પછાડી-પછાડીને મરી જશો.” “મુનિવર, અમારી વેદનાનો પાર નથી...હવે અમે આદ્મભટ્ટને મુક્ત કરીએ છીએ. આ આચાર્યદેવનું શરણ લઈએ છીએ.. કૃપા કરીને અમને મુક્ત કરો.” અરે ડાકણો, તમારે આવા પરોપકારી પુરુષનું રક્ષણ કરવું જોઈએ કે ભક્ષણ ? તમે જૈન ધર્મના દયાધર્મને માનો. આ ગુરુદેવની સેવા કરો...જાઓ, તમને મુક્ત કરું છું.” બધી દેવીઓ આચાર્યદેવના પગે પડી. સેંધવી દેવી પણ આચાર્યદેવના પગે પડી. જૈન ધર્મને સ્વીકાર્યો. બધી દેવીઓ પોત-પોતાના સ્થાને ચાલી ગઈ...કે તુર્ત આદ્મભટ્ટ | ડાકણોને વશ કરી ર૧૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy