SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યદવ તો ધ્યાનમાં લીન હતા. પરંતુ યશશ્ચંદ્ર મુનિએ ત્રાડ પાડીને દેવીને કહ્યું: “હે દુષ્ટ દેવી, તું મારા ગુરુદેવનું અપમાન કરે છે? મારી શક્તિની શું તને ખબર નથી? હું તને શાન્તિથી સમજાવું છું એટલે તું આ બધા ચાળા કરે છે? શું તું અમને ડરાવે છે? તો હવે જોઈ લે મારો ચમત્કાર...” યશશ્ચંદ્ર મુનિએ બે પગ પહોળા કર્યા. બે હાથ કમર ઉપર ટેકળ્યા. અને મોઢેથી મોટો હું.. હું... હું...કરતો હુંકારો કર્યો. આખું મંદિર ધ્રુજવા લાગ્યું. બીજો હુંકારે કર્યો અને મંદિરમાં રહેલી બધી દેવીઓ તંભિત થઈ ગઈ. જાણે ચિત્રમાં ચીતરેલી ના હોય ! મુનિએ ત્રીજો હુંકારો કર્યો...કરતાંની સાથે જ સેંધવી દેવી ભયભીત થઈને ઊછળી ઉછળીને સીધી આચાર્યદેવના પગમાં પડી. થરથર ધ્રૂજતી દેવી બે હાથ જોડીને આજીજી કરવા લાગી : “હું આપનાં ચરણોની દાસી છું. આપ કહો તે કરવા તૈયાર છું...” યશશ્ચંદ્ર મુનિએ કહ્યું : “તારી જે દેવીઓએ આપ્રભટ્ટને સંમોહિત કર્યા છે, તે દેવીઓથી આમ્રભટ્ટને મુક્ત કર અને સૂરિદેવની સેવા કર.” સેંધવી દેવી બોલી : “મુનિરાજ, એ દેવીમોએ આપ્રભટ્ટના શરીરના અંદરથી સેંકડો ટુકડા કરી નાંખ્યા છે. હવે છોડવાનો શો અર્થ છે? છોડાવ્યા પછી પણ આભટ્ટ જીવશે નહીં.” મુનિરાજે કહ્યું : “દેવી, આ તારી ચાલબાજી છે. પરંતુ હું તારી ચાલબાજી જાણું છું. જ્યાં સુધી આપ્રભટ્ટ તારી દેવીઓના સકંજામાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તું અહીંથી છૂટી નહીં શકે.' સેંધવી દેવી ગભરાઈ ગઈ. જાણે કે લોઢાની સાંકળોથી બંધાઈ ગઈ હોય... અને કોઈ એને કરવતથી કાપતું હોય, તેવી ઘોર વેદનાથી ચીસો પાડવા લાગી. ત્યાં યશચંદ્ર સિંહનાદ કર્યો. ધરતી ધ્રૂજી ઊઠી. આખું ભરુચ જાગી ગયું... “શું થયું? શું થયું ?” બોલતા લોકો ઘરની બહાર નીકળી ૧૨૬ % સન જેવા રિટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy