SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગુરુદેવ હેમચન્દ્રસૂરિ જ સારું કરી શકે એમ છે. આ પ્રબળ દૈવી ઉપદ્રવ છે. તેને ગુરુદેવ જ શાન્ત કરી શકશે.' દેવી અદશ્ય થઈ ગઈ. માતાએ બે પુરુષોને પાટણ મોકલ્યા. તેમણે પૂજ્ય ગુરુદેવને બધી વાત કરી. ગુરુદેવે ગંભીર વિચાર કરીને, ભરુચ જવાનું નક્કી કર્યું. આચાર્યદેવે, પોતાના શિષ્ય યશશ્ચંદ્રને સાથે લઈ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. અલ્પ સમયમાં જ તેઓ ભરુચ જઈ પહોંચ્યા. સીધા તેઓ આમ્રભટ્ટની હવેલીએ ગયા. આમ્રભટ્ટ બેભાન પડેલા હતા. માતા પદ્માવતીએ આચાર્યદેવનું સ્વાગત કર્યું. તેઓને પાટ ઉપ૨ બિરાજમાન કર્યા. આચાર્યદેવ ધ્યાનસ્થ થયા. તેઓએ યોગબળથી જાણી લીધું કે ‘આ દૈવી ઉપદ્રવ છે'. ધ્યાન પૂર્ણ કરીને તેઓએ યશશ્ચન્દ્રને કહ્યું : ‘આ બધો ઉપદ્રવ વ્યંતર દેવીઓનો છે. તે મિથ્યાર્દષ્ટિ છે. દંડનાયકે આ દેરાસર બંધાવ્યું, તેથી આ દેવીઓ રોષે ભરાણી છે.' યશશ્ચંદ્ર મંત્રવિદ્યામાં પારંગત હતા. તેઓ ગુરુદેવની વાત સમજી ગયા. તેમણે આમ્રભટ્ટની માતાને કહ્યું : ‘મધ્યરાત્રિના સમયે ફળ, પુષ્પ, નૈવેદ્ય આદિ બલિ આપીને કોઈ ધીર-વીર પુરુષને અમારી પાસે ઉપાશ્રયે મોકલજો. અમે અત્યારે ઉપાશ્રયે જઈએ છીએ.’ આમ્રભટ્ટનાં માતાએ હા પાડી. ગુરુદેવ ઉપાશ્રયે પધાર્યા. મધ્યરાત્રિના સમયે સૂચના મુજબ બલિનો થાળ લઈને એક પુરુષ ઉપાશ્રયે આવી ગયો. ગુરુદેવે યશશ્ચંદ્રને કહ્યું : ‘આપણે અહીંથી સીધા સૈંધવી દેવીના મંદિર તરફ જવાનું છે.' માર્ગમાં શું શું કરવાનું છે, તે યશશ્ચંદ્રને સમજાવી દીધું. યશશ્ચંદ્રે પેલા માણસને, કે જેનું નામ રણમલ હતું, તેને કહ્યું : સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૧૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy