SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ કહ્યું : ‘જ્યારે આ આભૂષણો અપાઈ જશે ત્યારે કદાચ તું તારું માથું પણ દાનમાં દઈ દે ! દાનશૂરા માણસો શું નથી આપતા ? માટે મેં તને રોક્યો ! મારે તારી ઘણી જરૂર છે, અંબડ !' મહારાજ કુમારપાલ, આમ્રભટ્ટને ‘અંબડ’ કહીને બોલાવતા. ઘરમાં પણ સહુ કોઈ ‘અંબડ' નામથી જ બોલાવતા. સ્તવન, ચૈત્યવંદન વગેરે ધર્મક્રિયાઓ પૂર્ણ થયા પછી, સહુ દેરાસરના રંગમંડપમાં આવ્યા. આચાર્યદેવે આમ્રભટ્ટને કહ્યું : ‘આ પૃથ્વી પર તમારા જેવા પુરુષો જન્મ લે છે ત્યારે કલિયુગ સતયુગ બની જાય છે. તમે સુકાઈ ગયેલા દાનધર્મના ઝરણાને વહેતું કરી દીધું ! એ ઝરણું આખી પૃથ્વી પર વહેતું રહો ! આવાં ભવ્ય સુકૃત કરતા રહો !' આચાર્યદેવે આમ્રભટ્ટને આશીર્વાદ આપ્યા. રાજા કુમારપાલ આમ્રભટ્ટને ભેટી પડ્યા. લોકોએ આચાર્યદેવનો જયજયકાર કરી દીધો. ગુરુદેવ અને કુમારપાલ વગેરે પાટણ પહોંચી ગયા. ગુરદેવ પાટણ પહોંચ્યા અને ભરુચમાં આમ્રભટ્ટ માંદગીમાં સપડાયા... .ભયંકર માંદગીમાં પડી ગયા. - - સ્નેહી-સ્વજનો અને રાજપુરુષો ગભરાઈ ગયા. વૈદોએ ઉત્તમ ઔષધોથી ઉપચાર કર્યા, પણ સારું ના થયું. માંત્રિકોએ મંત્ર-પ્રયોગો કર્યા, પણ સારું ના થયું. સ્નેહીજનોએ તીર્થયાત્રાની બાધાઓ કરી, વૃદ્ધ સ્ત્રીઓએ ગોત્રદેવીની બાધાઓ કરી, પૂજારીઓએ ડાકણ-શાકણોને બલિ-બાકળાઓ આપ્યા, છતાં દંડનાયકને સારું થયું નહીં. દંડનાયકનાં વૃદ્ધ માતાએ દેવી પદ્માવતીની આરાધના કરી. દેવી પદ્માવતી પ્રગટ થપાં. તેમણે કહ્યું : આકાશમાર્ગે ભરુચમાં Jain Education International For Private & Personal Use Only ૧૨૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy