SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ખાડામાં પડેલા મજૂરોને ઉગારવાની જવાબદારી મારી છે. અમારા બદલે બીજા કોઈનુંય બલિદાન ના આપી શકાય. પતિ-પત્નીએ શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યું અને ખાડામાં એક સાથે કૂદી પડ્યાં. - ત્યાં ઊભેલાં સેંકડો સ્ત્રી-પુરુષો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યાં. સ્ત્રીઓ ચીસ પાડી ઊઠી. પરંતુ થોડી વારમાં જ એક ચમત્કાર થયો. એક દિવ્ય અવાજ સંભળાયો : “નગરવાસીઓ, હું દેવી નર્મદા બોલું છું. આદ્મભટ્ટ અને એમનાં પત્નીનો મનુષ્ય-પ્રેમ અને પ્રભુભક્તિ જોઈને હું પ્રસન્ન થઈ છું. માટે તેમને તથા તેમના બધા મજૂરોને નવું જીવન આપું છું. તેઓ બધા જ ખાડામાંથી જીવતા બહાર આવશે.' અને ખરેખર આપ્રભટ્ટ, એમનાં પત્ની અને મજૂરો ખાડામાંથી બહાર આવવા લાગ્યા ! બધાં સારાં હતાં અને સહુના મુખ ઉપર પ્રસન્નતા હતી. નગરજનોએ હર્ષની કિકિયારીઓ કરી. જૈન ધર્મનો જયનાદ કર્યો અને મહોત્સવનાં મંડાણ કર્યા. દંડનાયક આઝભટ્ટે દેવીને ઉત્તમ ફળ-નૈવેદ્ય ચઢાવીને ખુશ કરી. દેરાસરનું કામ ઝડપથી ચાલું થયું. સેંકડો કારીગરો અને હજારો મજૂરો કામે લાગી ગયા. દંડનાયક તે સૌને સારું ખાવા-પીવાનું આપવા લાગ્યા. બધી સગવડતાઓ આપવા લાગ્યા. અને હજારો રૂપિયા આપવા લાગ્યા. દેરાસરનું કામ પૂરું થવા આવ્યું એટલે દંડનાયકે પાટણ જઈને પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી : “ગુરુદેવ, ગુર્જરેશ્વરની સાથે આપ ભરૂચ પધારો અને નવા બંધાયેલા દેરાસરમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરો.” આચાર્યદેવ, રાજા કુમારપાલ અને હજારો સ્ત્રી-પુરુષોના સંઘ સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ગામે-ગામના જૈનો સંઘમાં જોડાવા લાગ્યા. (૧૧૮ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy