SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું મન હરહંમેશ ધર્મધ્યાનમાં લીન રહે છે, એ મહાત્માના ચરણે દેવો પણ પોતાનાં મસ્તક નમાવે છે ! એવું જ થયું ! આમ્રભટ્ટ અને એમનાં પત્નીના ધર્મધ્યાનના પ્રભાવથી દેવી નર્મદાને ત્યાં આવવું પડ્યું. તે પ્રગટ થઈને બોલી : ‘હૈ દંડનાયક, જો તારે આ મંદિરનું નવનિર્માણ કરાવવાનું હોય અને તારા મજૂરોને જીવતા જોવા હોય તો મને બત્રીસલક્ષણા સ્ત્રીપુરુષનું બલિદાન આપ.' આપ્રભટ્ટ અને એમનાં પત્નીએ ધ્યાન પૂર્ણ કર્યું. આમ્રભટ્ટે તેમનાં પત્નીને કહ્યું : ‘પ્રિય, દેવી બલિદાન માગે છે. એક દંપતીનું એને બલિદાન જોઈએ છે !' પત્નીએ પૂછ્યું : હાથ, બલિદાન આપવાથી બધા મજૂરો ઊગરી જશે ખરા ?' ‘હા, દેવીએ વચન આપ્યું છે. તેને બલિદાન મળશે તો એ બધા મજૂરોને જીવતા બહાર આવવા દેશે અને મંદિરનું નવનિર્માણ થવા દેશે.’ ‘તો પછી આપ શું વિચારો છો ?' પત્નીએ પૂછ્યું. ‘તું તૈયાર હો તો આપણું જ બલિદાન આપીએ.’ ‘પ્રાણનાથ, હું પણ એ જ ઇચ્છું છું. જિનમંદિરના નવનિર્માણ માટે અને અનેકોની જિંદગીઓ બચાવવા માટે આપણું જીવન ખપમાં આવતું હોય તો એના જેવું રૂડું મોત બીજું કયું હોઈ શકે ?' પત્નીનું સત્ત્વ અને શહીદીની તૈયારી જોઈ આમ્રભટ્ટના રોમે-રોમ વિકસિત થઈ ગયા. આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ. પતિ-પત્ની બંને ખાડામાં કૂદી પડવા તૈયાર થયા, ત્યાં રાજપુરુષોએ તેમને રોક્યા અને કહ્યું : ‘દંડનાયકજી, આપ બલિદાન ન આપો. અમે આપને આ રીતે મરવા નહીં દઈએ. આપના બદલે અમે બીજા કોઈ દંપતીનું બલિદાન આપીશું.' ‘ના, ના, એ નહીં બને. બલિદાન અમારે જ આપવાનું છે. આકાશમાર્ગે ભરુચમાં Jain Education International For Private & Personal Use Only ૧૧૭ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy