SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૭ આકાશમા શ્વમાં મંત્રી વાગભટ્ટના નાનાભાઈ આદ્મભટ્ટ. રાજા કુમારપાલને જેટલું માન વાળુભટ્ટ માટે તેટલું જ માન આદ્મભટ્ટ માટે ! આદ્મભટ્ટ લાટદેશના (ભરુચથી સૂરત સુધીનો પ્રદેશ) દંડનાયક હતા. લાટદેશની પ્રજાની સાર-સંભાળ રાખવાની જવાબદારી દંડનાયક આદ્મભટ્ટની હતી. તેઓ મોટા ભાગે પાટણમાં રહેતા હતા. તાજેતરમાં જ મહામંત્રી ઉદયનનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિતાના અવસાનથી બંને પુત્રો વાગભટ્ટ અને આમ્રભટ્ટ દુ:ખી હતા. એ અરસામાં ભરૂચથી કેટલાક ભાવિક શ્રાવકો પાટણ આવ્યા અને દંડનાયક આમ્રભટ્ટને મળીને કહ્યું : ભરુચનું “સમડી-વિહાર' નામનું દેરાસર કે જેમાં શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજે છે, તે જીર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્ધાર કરવો અતિ આવશ્યક છે.” આદ્મભટ્ટે કહ્યું : “મહાનુભાવો, એ દેરાસરનો જીર્ણોદ્ધાર વહેલામાં વહેલી તકે કરવામાં આવશે !” દંડનાયકના આશ્વાસનથી ખુશ થઈને શ્રાવકો પાછા ભરુચ ગયા. આદ્મભટ્ટે મોટાભાઈ વાગ્ભટ્ટને વાત કરી : “મોટાભાઈ, પિતાજીની ઇચ્છા હતી “સમડી-વિહાર'નો જીર્ણોદ્ધાર કરાવવાની. શત્રુંજય ગિરિરાજ ઉપરના ભગવાન આદિનાથ દેરાસરનો જીર્ણોદ્ધાર આપે કરાવીને, પિતાજીની એક ઇચ્છા આપે પૂરી કરી. “સમડીવિહાર'નો જીર્ણોદ્ધાર કરાવવાની ઈચ્છા પૂર્ણ કરવાની મને આજ્ઞા આપો.' મોટાભાઈએ નાનાભાઈને રજા આપી. રાજા કુમારપાલે પણ રજા આપી. આમ્રભટ્ટને ખૂબ આનંદ થયો. તેઓ પોતાની ધર્મપત્ની સાથે ભરુચ આવ્યા. ભરુચમાં તેમણે નિવાસ કર્યો. શિલ્પીઓને બોલાવીને - આકાશમાર્ગે ભરૂચમાં ૪ ૧૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy