SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ, તે પછી “કુમાર-વિહાર' નામનું ભવ્ય દેરાસર બંધાવ્યું અને એમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિની પ્રતિષ્ઠા ગુરુદેવ હેમચન્દ્રસૂરીશ્વરજીના વરદ હસ્તે કરવામાં આવી. એક દિવસ રાજાએ ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ, મને એક વિચાર આવે છે કે ખંભાતમાં આપ મને મળ્યા અને આપે મારી પ્રાણરક્ષા કરી હતી. ખંભાતમાં આપે મને પ્રારંભિક વ્રત-નિયમો આપ્યા હતા. એની સ્મૃતિમાં એક દેરાસર ખંભાતમાં બંધાવું !” કુમારપાલ, ખંભાતમાં “અલિંગ' નામનો એક મહોલ્લો છે. ત્યાંનું દેરાસર અતિ જીર્ણ થઈ ગયું છે. જેનો જીર્ણોદ્ધાર કરાવવા જેવો છે.” “તહરિ ગુરુદેવ ! એ કામ શીઘ કરાવીશ અને એ દેરાસરમાં મૂલ્યવાન રત્નની પ્રતિમા સ્થાપિત કરીશ.' વાભટ્ટ ખંભાત આવ્યા. અલિંગના દેરાસરને જોયું. અતિ જીર્ણ દેરાસરનો ઉદ્ધાર કરવાના બદલે, નવું જ દેરાસર બનાવવાનો નિર્ણય કર્યો. મહારાજાને નિર્ણયની જાણ કરી. મહારાજાએ સંમતિ આપી. દેરાસરનું કામ ધમધોકાર ચાલુ થયું. બીજી બાજુ ભગવાન મહાવીર સ્વામીની રત્નમય પ્રતિમા ઘડાઈ ગઈ ! પૂજ્ય ગુરુદેવ ખંભાત પધાર્યા. રાજા કુમારપાલ પણ વિશાળ પરિવાર સાથે ખંભાત આવી ગયા. ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ ગઈ. જૈન ધર્મનો જયજયકાર થઈ ગયો. રાજા કુમારપાલે જેટલાં દેરાસરો બંધાવ્યાં, તે દેરાસરોમાં હંમેશાં પુષ્પપૂજા થાય, તે માટે દરેક દેરાસરને એક-એક બગીચો ભેટ આપ્યો. એ બગીચાઓનાં જે ફૂલો થતાં એ ફૂલો જિનેશ્વર ભગવાનની પૂજામાં ' વાપરવામાં આવતાં. કુમારપાલે પોતાના તાબાના અઢારે દેશોમાં દેવવિમાન જેવાં રમણીય અને ભવ્ય દેરાસરો બંધાવીને જૈન ધર્મનો ખૂબ ફેલાવો કર્યો. (૧૧૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy