SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મારા વહાલા સભાજનો, આવો દયાળુ રાજા જ્યાં વસે છે એ ગુર્જરદેશ ખરેખર ધન્ય છે ! જીવરક્ષા પ્રવર્તાવવા જુઓ તો ખરા, કેવો સુંદર ઉપાય શોધી કાઢ્યો છે ? ગુર્જરપતિનું મન ખરેખર પુણ્યકાર્યમાં પરોવાયેલું છે. હું એમને સાચા હૃદયથી ધન્યવાદ આપું છું. ગુર્જરપતિએ એમના ગુરુ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી દયાધર્મ પ્રવર્તાવ્યો છે, તો હું ગુર્જરપતિની પ્રેરણાથી મારા રાજ્યમાં દયાધર્મ પ્રવર્તાવીશ ! મારું એ કર્તવ્ય છે.” કહો મારા વ્હાલા પ્રજાજનો, તમે સહુ માંસાહારનો ત્યાગ કરશો ને ’ ‘જરૂર કરીશું, મહારાજા !' સભાજનો બોલી ઊઠ્યા. રાજા જયંતચન્દ્રે પોતાના મહામંત્રીને કહ્યું : ‘મહામંત્રી, આજે આ નગરમાં અને રાજ્યનાં બધાં ગામ-નગરોમાં ઢંઢેરો પિટાવો કે, માછલીઓ પકડવાની બધી જાળો અને જીવવધ કરવાનાં બધાં શસ્ત્રો, વારાણસી નગરીના મધ્ય ચોકમાં નાંખી જાય. પછી તે ઢગલાને, આ ગુર્જરપતિના સચિવોની સામે આગ લગાડી દો. અને પછી દેશમાં જાહેર કરો કે ‘કાશીદેશમાં હિંસાને બાળી મૂકી છે ! હવેથી કોઈ હિંસાનાં સાધન બનાવશે નહીં.' મહામંત્રીએ રાજાની આજ્ઞા મુજબ આખા દેશમાં ઘોષણા કરાવી દીધી. પાંચ-સાત દિવસમાં, વારાણસીના મધ્ય ચોકમાં એક લાખ ને એંશી હજાર જાળ (માછલાં પકડવાની જાળ) ભેગી થઈ, બીજાં અસંખ્ય શસ્ત્રોનો ઢગલો થયો. હજારો નગરવાસીઓની અને ગુર્જ૨૫તિના ચાર સચિવોની હાજરીમાં એ ઢગલાને બાળી મૂકવામાં આવ્યો ! કાશીદેશમાંથી હિંસા નાબૂદ થઈ ગઈ ! રાજા જયંતચન્દ્રે ચાર સચિવોને બોલાવીને તેમને ચાર હજાર ઘોડા અને ચાર કરોડ સુવર્ણમુદ્રાઓ ગુર્જરપતિ માટે ભેટ આપી, પ્રેમથી વિદાય આપી. ચાર સચિવો, ગુર્જરપતિએ સોંપેલું કાર્ય રંગેચંગે પૂર્ણ કરીને પાટણ સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy