SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કામ ચાલુ કરી દીધું. નગરના ચારે દરવાજે ગરીબોને અન્ન-વસ્ત્ર અને પૈસા આપવાનું કામ શરૂ થઈ ગયું. “ગુજરાતના રાજા કુમારપાલ તરફથી આ બધું આપવામાં આવે છે,” આ પ્રમાણે જાહેરાત થવા લાગી. ચાર-પાંચ દિવસોમાં તો ગરીબોના ઘેર-ઘેર ને ઝૂંપડે-ઝૂંપડે રાજા કુમારપાલનું નામ પ્રસિદ્ધ થઈ ગયું. તે પછી મધ્યમ વર્ગના લોકોને પણ આકર્ષિત કરવામાં આવ્યા અને શ્રીમંતોને પણ પ્રભાવિત કરવામાં આવ્યા... પછી એ ચારે અધિકારીઓ રાજા જયંતચન્દ્ર પાસે ગયા. રાજાને પ્રણામ કરી, રાજા કુમારપાલે મોકલેલી ભેટ આપી. બે ક્રોડ સુવર્ણમુદ્રાઓ અને બે હજાર ઘોડા આપ્યા. પછી પેલું ચિત્ર રાજાની સામે મૂક્યું રાજાએ સર્વપ્રથમ ગુર્જરપતિની કુશળપૃચ્છા કરી. પછી પેલું ચિત્ર હાથમાં લઈને પૂછ્યું : “આ શું છે ?' એક મંત્રીએ કહ્યું : “આ ચિત્રમાં એક તરફ અમારા રાજ્યના ગુરુદેવ હેમચન્દ્રાચાર્ય છે ને બીજી તરફ અમારા રાજા કુમારપાલ છે. આ ચિત્ર આપને ભેટ મોકલીને અમારા મહારાજાએ આપને કહેવરાવ્યું “મારા હેમચન્દ્રાચાર્ય નામના ગુરુદેવ છે. તેઓ સર્વજ્ઞ છે. તેઓ લોકોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. એવા શ્રેષ્ઠ ગુરુ પાસે મેં દયામય ધર્મ અંગીકાર કર્યો છે. મારા પોતાના જીવનમાંથી મેં હિંસાનો ત્યાગ કર્યો છે. મારા રાજ્યમાંથી હિંસાને કાઢી મૂકી છે. પરદેશોમાંથી પણ હિંસાને કાઢવાની મારી ભાવના છે. તે માટે મેં મારા સચિવોને તમારી પાસે વિનંતી કરવા મોકલ્યા છે કે તમે પણ તમારા રાજ્યમાંથી હિંસાને હાંકી કાઢો ! સર્વ દુઃખોનું મૂળ હિંસા છે. સર્વ સુખોનું કારણ દયા છે. મારી આ વિનંતી ઉપર ગંભીર વિચાર કરી, તમે દેશમાંથી હિંસાને સર્વથા દૂર કરશો.' રાજા જયંતચન્દ્ર અને રાજસભામાં બેઠેલા સહુને, રાજા કુમારપાલનો સંદેશો ગમી ગયો. રાજાએ કહ્યું : કારશીદેશમાં અહિંસાત્મચારા ૯૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy