SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ નભશે એની કંઈક ચિંતા અને વિમાસણ થયેલી; પણ આવા જ્ઞાનયોગી ગુરુને સમજનાર શ્રાવકો પણ કેટલીક અનુકૂળતા કરી આપે અને તેમને બોલતા પણ કરે. તે સમયના સાગર ગચ્છના ઉપાશ્રય (પાટણ)ના વહીવટકર્તા શેઠ શ્રી અમૃતલાલભાઈ સૂરજમલ ઝવેરીએ પૂ. પા. મહારાજજીને જે કોઈ ચીજ-વસ્તુની આવશ્યકતા હોય તે સંબંધમાં નિશ્ચિંત રહેવા જણાવ્યું હતું. ધીમે ધીમે મહારાજજી, તેમની પાસે આવનાર આબાલવૃદ્ધ જનોની સાથે યોગ્ય વાર્તાલાપ કરતા થયા. ઉત્તરોત્તર સમય જતાં પરિવર્તન એ આવ્યું કે ક્રમે ક્રમે મહારાજજીનો સમય અન્યાન્ય કાર્યોમાં રોકાવા લાગ્યો, તેથી તેઓ સંશોધનકાર્ય મોડી રાત સુધી કરવા લાગ્યા. ચોમાસાના દિવસોમાં મહારાજજી વહેલાં સૂઈ જતા અને રાત્રે બે-ત્રણ વાગે ઊઠીને કામ કરતા, જેથી ઊડતા જંતુઓ માર્ગની બત્તીઓ આગળ કૂદાકૂદ કરીને થાકી જવાથી કામ કરતાં અડચણરૂપ થતા નહીં. આમ છતાં જો કોઈ વાર એવા પતંગિયાં વગેરે મોડી રાત્રે પણ આવતાં તો મહારાજજી બત્તીનો ઉપયોગ બંધ કરીને માળા કરતા. ટૂંકમાં, સંશોધનકાર્ય આવશ્યક હોવા છતાં તેમને જીવહિંસાના વિવેકમાં પણ એટલો જ ઉપયોગ હતો. રાત્રે બત્તીથી કામ કરવા સંબંધમાં સમાજમાં ક્યારેક થતી ટીકારૂપ ચર્ચાઓ જાણીને એક વખતે મેં મહારાજજીને કહ્યું કે બત્તીના લેંપને દિવસે કોઈ જોઈ ન શકે તેવી રીતે કપડાથી ઢાંકી રાખીએ તો કેમ? મહારાજજીએ મને અતિસ્વસ્થતાથી જણાવ્યું કે ‘જેવા હોઈએ તેવા દેખાવું; છુપાવવું તે તો આત્મવંચના છે.’ બત્તીના સંબંધમાં તો પાટણ છોડીને મહારાજજી અમદાવાદ આવ્યા તે પછીનાં વર્ષોમાં અમદાવાદના કેટલાક સહૃદય ઉપાસક ગૃહસ્થોએ મહારાજજીને કેવળ જિજ્ઞાસાથી પૂછેલું કે રાત્રે બત્તી રાખી શકાય ખરી? મહારાજજીએ પણ એટલી જ સહ્રદયતાથી જણાવેલું કે- ‘‘સવારે વ્યાખ્યાન આપવું એ દિવસના શેષ ભાગમાં જ્યારે કોઈ મુનિ કે ગૃહસ્થ શાસ્ત્રાદિ સંબંધી હકીકતો જિજ્ઞાસાથી પૂછે ત્યારે તે સંબંધમાં તેમની સાથે ઉચિત વાર્તા કરવી એમાંય બેવડો લાભ છે, તેથી તે અનિવાર્ય બની જાય છે. અને જીવનમાં જે કંઈ વાંચ્યું-જાણ્યું-વિચાર્યું છે તે જિજ્ઞાસુને જણાવવાની અમારી ધર્મફરજ છે. આથી મારું સંશોધનકાર્ય કાં તો રાત્રે કરું અથવા દિવસનાં રોકાણો સદંતર બંધ કરું-આ બે વિકલ્પ હોવાથી અને બેમાંથી એકને પણ છોડવો ઉચિત નહીં જણાવાથી મારા માટે રાત્રે કામ કરવું એ અનિવાર્ય થઈ ગયું છે. જો મારી પાસે દિવસે કોઈ ન આવે એવો પ્રબંધ થાય તો હું રાત્રે કામ કરવાનું તરત જ બંધ કરું.’ ૨. માર્ગમાં ચાલતાં આજુબાજુ અને ઊંચા મસ્તકે સામે પણ જોવાની ટેવ મહારાજજીમાં ન હતી. આથી તેઓ નીચી દૃષ્ટિ રાખીને જ માર્ગમાં ચાલતા. એક વખત માર્ગમાં મહારાજજીની સામી બાજુથી ગુરુજી આવતા હશે. મહારાજજી તો તેમના કાયમી ક્રમ મુજબ ચાલતા હોવાથી તેઓ ગુરુજીને જોઈ શક્યા નહીં. ઉપાશ્રયમાં (સાગરનો ઉપાશ્રય-પાટણ) આવ્યા પછી ખૂબ જ સંતોષ અને વાત્સલ્યથી ગુરુજીએ મહારાજજીને વિનોદમાં કહ્યું કે-પુણ્યવિજયજી ! જો માર્ગમાં તારા વંદનની અપેક્ષા રાખીએ તો તે ખોટી ઠરે ! ૩. મહારાજજી પાટણમાં રહ્યા તે સમયમાં સ્થંડિલભૂમિ જવા માટે વર્તમાન પાટણથી બે માઈલના અંતર સુધી જૂના પાટણની જુદી જુદી ભૂમિમાં જતા. માર્ગમાં, જૂના અવશેષો શોધવાની દષ્ટિને લીધે, તેઓશ્રી 72 શ્રી પુણ્યરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy