________________
બીજાઓ સમજી શકે એવી હરેકની ભૂમિકા પણ હોતી નથી. આમ છતાં પ્રેમભીનું હૈયું, વાણીની મીઠાશ અને નાનાં-મોટાં, અભણ કે ભણેલાઓને પોતાના તરફ આકર્ષી શકે છે. એમની પાસે ધર્મકથાઓનો એવો ભંડાર ભર્યો છે કે જે કદી ખૂટતો જ નથી. માંડલમાં ૫-૬ દિવસોના એમનારોકાણ દરમ્યાન રાત્રે બાર-બાર વાગ્યા સુધી એવી રસભરી વાર્તાઓ દ્વારા જ અમને એ જકડી રાખતા. રસ જમાવટ કરવાની એમને સહજ લબ્ધિ પ્રાપ્ત થઈ છે, એમ કહું તો તે ખોટું નહિ ગણાય. એક ઉત્તમ કથાકાર તરીકે અમે ત્યારે જ એમને પ્રથમ ઓળખ્યા હતા પેટ પકડીને હસાવવામાં પણ એ પૂરા પાવરધા છે. નાનાં બાળકો, બહેનો કે ઓછું ભણેલાઓનો ચાહ મેળવવામાં એમના કથાભંડારે પણ એમને ખૂબ સહાય કરી છે.
હું માનું છું કે એમના જીવનની બીજી બાજુઓ જોવા-સમજવા માટે આટલું પૂરતું ગણાશે. બાકી એમની વિદ્વત્તા, કોઈ પણ વિષયનું વિશ્લેષણ કરવાની એમની અભૂત શક્તિઓ, સંશોધનક્ષેત્રે આજ સુધી કરેલું કામ, સંપાદિત કરેલા ગ્રંથો, સાહિત્યક્ષેત્રે કરેલી સેવા, આજ સુધી આવેલી અડચણો તથા મળેલી મદદો વગેરે પ્રસંગોને સમાવતી એમની જીવન-ઘટનાઓ વિષે તો એમના નિકટમાં રહેલા મુનિ મહારાજ શ્રી રમણિકવિજ્યજી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ કે શ્રી અમૃતલાલ ભોજક જેવા જ એમના વિશે પ્રમાણભૂત પ્રકાશ પાથરી શકે. છેલ્લે, એમના આદરણીય મુનિ શ્રી ન્યાયવિશારદ, ન્યાયતીર્થ ન્યાયવિજયજી મહારાજે જે એક શ્લોક દ્વારા એમના જીવનના ગુણરાશીને ગૂંથી લીધો છે, એ શ્લોક આપીને જ હું મારો લેખ પૂર્ણ કરું છું:
यो नम्रो विनयावदातचरितो माध्यस्थविभ्राजितः श्रामण्यप्रभयोन्नतो विशदया सौम्यस्वभावौज्जवलः ॥ नित्यं प्राक्तनशास्त्रशोधनपरो विद्यासुधागाहवान्,
पुण्यौजाः स मुनीन्द्रपुण्यविजयो जीयात् सदाङत्मधुता ॥ જેઓશ્રી સ્વભાવે અતિ નમ્ર છે; વિનયયુક્ત જેમનું ઉત્તમ ચારિત્ર છે અને મધ્યસ્થવૃત્તિથી જેઓ આદરણીય બન્યાછે; વળી, શ્રમણ્યની નિર્મલ પ્રભાથી જેઓ પ્રશંસનીય છે; શાંત-સૌમ્ય સ્વભાવથી ઉજ્જવલ છે અને પ્રાચીન શાસ્ત્રના સંશોધનકાર્યમાં સદા મગ્ન રહી વિદ્યારૂપી અમૃતમાં અવગાહન કરતા રહે છે. એવા પુણ્ય-સત્વશીલ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ ઉત્તમ આત્મપ્રભાથી સદા જયવંત રહો!
શ્રી પુણ્યર્ચામ...
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org