________________
જતી હતી.
જન્મશતાબ્દીનો ઉત્સવ પૂરો થયો એટલે હવે મહારાજશ્રીનું મન જલદી ગુજરાત તરફ વિહાર કરવા ઈચ્છતું હતું. પણ અહીં પણ કોઈક વિલક્ષણ ભવિતવ્યતાયોગ વચમાં આવ્યો અને મહારાજશ્રીની તબિયતની અસ્વસ્થતા વધતી ગઈ, પરિણામે ગુજરાત તરફ વિહાર કરવાનું લંબાતું ગયું. ખરી રીતે આમાં વિલંબ નહોતો થતો, આ વિહાર હવે કદી થવાનો જ ન હતો ! પણ અમારા જેવા ઠગારી આશાના દાસ આ કુદરતની કરામતને કેવી રીતે પામી શકે? સમય એમ ને એમ વહેતો રહ્યો.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકો ઈચ્છતા હતા કે સંસ્થાની જૈન આગમ ગ્રંથમાળા'ના ત્રીજા ગ્રંથ પન્નવણાસૂત્રના બીજા ભાગનું પ્રકાશન મહારાજશ્રીની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવે. આ માટે તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ એ માન્ય કરી; અને એ માટેનો સમારોહ ફાગણ વદિ ૨, રવિવાર, તા. ૧૪-૩-૭૧ના રોજ ભાયખલાના જિનમંદિરના સભામંડપમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું, મહારાજશ્રીની ભલામણ મુજબ આ પ્રકાશનવિધિ માટે દિગંબર જૈન સંધના દેશ-વિદેશમાં જાણીતા અને પખંડાગમ મૂલ તથા તેની ટીકા ધવલી જેવા મહાગ્રંથોના યશસ્વી સંપાદક ડૉ. હીરાલાલજી જૈનને આમંત્રણ આપવાનું ઠરાવવામાં આવ્યું. આ પસંદગી પણ મહારાજશ્રીનું મન કેવું ઉદાર, ગુણગ્રાહક અને જ્ઞાનપ્રેમી હતું એ વાતની સાક્ષી પૂરે છે.
દરમ્યાન વરલીમાં (મુંબઈમાં) આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિના સાંનિધ્યમાં પ્રતિષ્ઠા, દીક્ષા તથા પદવીદાનનો સમારોહ યોજવામાં આવ્યો હતો, એ માટે મહારાજશ્રી વરલી પધાર્યા. આ મહોત્સવ વખતે, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે, ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ, મહારાજશ્રીને “શ્રુતશીલવારિધિ'નું બિરુદ આપ્યું.
તા. ૨૨-૨-૭૧ના રોજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે ભાયખલામાં બે મહત્ત્વનાં પ્રવચનો આપીને સાધુજીવનની શુદ્ધિ, સાધ્વીસંઘનો વિકાસ, એમને અધ્યયન અને વ્યાખ્યાન કરવાની છૂટની અનિવાર્યતા, બોલીની આવકનો ઉપયોગ, શાસ્ત્રના વિધિનિષેધોની ઉપયોગિતા જેવા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. (પછી આ બન્ને પ્રવચનો છાપીને વહેંચવામાં આવ્યાં હતાં.)
આ પછી તા. ૧૪-૩-૭૧ના રોજ, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, ડૉ. હીરાલાલજી જૈને પન્નવણાસ્ત્રના બીજા ભાગનું પ્રકાશન કર્યું અને મહારાજશ્રીની જ્ઞાનોપાસનાને હાર્દિક અંજલિ આપી.
હજી પણ અમને આશા હતી કે મહારાજશ્રી ગુજરાત તરફ વિહાર કરી શકશે અને કદાચ અમદાવાદ નહિ પહોંચાય તો પણ સૂરત કે વડોદરા સુધી તો પહોંચી જશે. પણ કુદરત આ આશાને અનુકૂળ ન હતી ! દરમ્યાનમાં બીજા બે વિચારો મહારાજશ્રીના મનમાં જાગ્યા: એક વિચાર પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ ઈન્સ્ટીટયૂટની મુલાકાત લેવા પૂના તરફ વિહાર કરવો અને પોતાની દાયકાજૂની ભાવના પૂરી કરવી એ હતો. બીજો વિચાર હતો, ચિત્તોડગઢની તળેટીમાં, આપણા સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી
55
શ્રી પુણ્યસ્ત્રિમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org