SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ રાતના પ્રતિક્રમણ પછી જણાવવાનું કહ્યું. રાત્રે મહારાજશ્રીએ મુંબઈ તરફ વિહાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. આ સાંભળીને હું તો, જાણે કોઈ હોનારત બની હોય એમ, સ્તબ્ધ થઈ ગયો. આવો નિર્ણય સાંભળવા મારું મન તૈયાર ન હતું. હું ખૂબ ખિન્ન અને નિરાશ થઈ ગયો. પણ હવે મનની વાત કે વેદનાને વ્યક્ત કરવાનો કોઈ અવકાશ ન હતો. જેઓના સ્વાસ્થને માટે મુંબઈ જવાનો વિચાર જન્મ્યો હતો, તે પંન્યાસ શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ થવા છતાં મુંબઈ જવાનો નિર્ણય થયો એ ભવિતવ્યતાયોગ પણ કેવો અજબ કહેવાય! પણ એ યોગને માથે ચડાવવો જ રહ્યો. મહારાજશ્રીએ તા. ૨૪-૩-૬૯ના રોજ મુંબઈ તરફ વિહાર કર્યો અને ત્રણેક મહિના બાદ, તા.૨૬-૬-૬૯ના રોજ, તેઓ મુંબઈ પહોંચી ગયા. મહારાજશ્રી અડધી સદી કરતાં પણ વધુ સમય બાદ, બાવન વર્ષે, મુંબઈ પધાર્યા હતા. શ્રીસંઘે તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. તા. ૨૯-૬-૬૯ના રોજ તેઓ ગોડીજીના ઉપાશ્રયે પધાર્યા. મહારાજશ્રીનું ચાતુર્માસ વાલકેશ્વરમાં નકકી થયું હતું. તેઓ તા. ૬-૭-૬૯ના રોજ વાલકેશ્વર પધાર્યા. પહેલું ચોમાસુ પૂરું થયા બાદ, તા. ૧૧-૧-૭૦ના રોજ સવારના, મહારાજશ્રીના સાંનિધ્યમાં, જન્મશતાબ્દીની ઉજવણીના કાર્યને વેગ આપવા મુંબઈના કાર્યકરો, બહારગામના પ્રતિનિધિઓ અને જન્મશતાબ્દી માટે કેટલાક મહિના પહેલાં રચાયેલ એડહોક કમીટીના સભ્યોની સભા મળી. આ સભા ઉજવણીના આકારપ્રકાર અને એ માટેની યોજનાને નિશ્ચિત રૂપ આપવા માટે ખૂબ ઉપયોગી બની રહી. આમાં એડહોક કમીટીનું વિસર્જન કરીને અખિલ ભારતીય ધોરણે જન્મશતાબ્દી સમિતિની રચના કરવામાં આવી; એના સભ્યપદનું લવાજમ રૂા. ૫૧ નકકી કરીને એ રકમ ઉજવણીના ખર્ચમાં વાપરવાનું ઠરાવવામાં આવ્યું; અને, આ પ્રસંગના રચનાત્મક કાર્યરૂપે ‘આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના કરીને ત્રણ હજાર રૂપિયાનો એક એવા ટ્રસ્ટ-સ્કોલરો નોંધવાનું ઠરાવવામાં આવ્યું. આ સભાની પહેલાં અને પછી પણ કાર્યકરો અવારનવાર મહારાજશ્રી પાસેથી માર્ગદર્શન મેળવતા રહેતા. મહારાજશ્રીનો જીવનરસ તો શાસ્ત્રસંશોધનનો હતો એ એનું એમને માટે શ્વાસ અને પ્રાણ જેટલું મૂલ્ય હતું, એટલે મુંબઈમાં પણ એ કામ તો ચાલતું જ રહ્યું. જન્મશતાબ્દીની તૈયારીના કામમાં તો તેઓ માગી સલાહ જ આપતા; પણ કાર્યકરોને માટે તો એમની હાજરી જ ઉત્સાહ પ્રેરવા માટે બસ હતી. પહેલું ચોમાસુ તેઓએ સુખ-શાંતિથી પૂરું કર્યું; તબિયત પણ એકંદર સારી રહી. આ દરમ્યાન પન્નાઓના સંશોધનનું કામ ચાલતું રહ્યું. તેઓનું બીજું ચોમાસુ પણ વાલકેશ્વરમાં જ થયું. પણ મુંબઈના એક વર્ષના રહેવાસ પછી મહારાજશ્રીને શરીરમાં અવારનવાર નાની-મોટી ફરિયાદ થઈ આવતી; અને એના જરૂરી ઉપચાર પણ કરાવવામાં આવતા. પણ તેઓ આ માટે વિશેષ ચિંતા ન સેવતા. અને સંશોધનનું કામ તો ચાલતું જ રહેતું, પણ એ માટે પૂરતો સમય ભાગ્યે જ મળતો. બીજું ચોમાસુ પૂરું થવાનું હતું એ અરસામાં શરીરની અસ્વસ્થતાની ફરિયાદકંઈક વધી ગઈ. મહારાજશ્રી કયારેક ક્યારેક એવી ફરિયાદ કરતા કે હમણાં હમણાં સ્કૂર્તિ ઓછી દેખાય છે, સૂઈ રહેવાનું મન થાય છે અને કામમાં મન પૂરું લાગતું નથી. આનો પણ કંઈક ને કંઈક ઉપચાર તો થતો જ રહેતો. પણ મહારાજશ્રીએ, અમે કે શ્રી પુણ્યચરિત્રમ્ 53 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy