________________
અને કળાની સામગ્રીનાં પ્રદર્શનો યોજ્યાં હતાં (વિ.સં. ૨૦૦૯માં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સન અધિવેશન વખતે યોજેલું પ્રદર્શન ખૂબ મોટું અને ખૂબ આકર્ષક તેમજ યાદગાર બન્યું હતું), નાના-મોટા ઉત્સવોમાં પણ ભાગ લીધો હતો, અને જીવનમાં કંઈક નાનાં-મોટાં યશનામી કામો કર્યા હતાં, પણ એ બધું જ જળકમળની જેમ સાવ અલિપ્ત ભાવે ! એ માટે અહંભાવનું નામ નહીં.
નમ્રતા અને જ્ઞાની પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈન સંઘના વીસમી સદીના દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ, આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને ખાસ વંદના કરવા અને શાતા પૂછવા સૂરત ગયા હતા-આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બન્ને આગમવેત્તાઓનું મિલન જેઓએ જોયું તેઓ ધન્ય બની ગયા.
ક્યારેક કોઈની સાથે નારાજ થવાનો કે કોઈના પ્રત્યે રોષ કરવાનો પ્રસંગ આવે તો પણ એવી લાગણી, જરાક પવન લાગતાં પાટી ઉપરથી રેતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જતી. કષાયોનો ઘેરો રંગ કે આકરો ડંખ એમના ચિત્તને ક્યારેય કલુષિત કરી શકતો નહીં.
મહારાજશ્રીની કુણાશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરકાણામાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવાનું થયું. એ એમનું આખરી મિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની આંખોનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રી સહજભાવે લાગણીભીના સ્વરે કહ્યું: ‘‘આપ તો સદા પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું આવવું જોઈએ.’’ એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડોકટર ડગને આચાર્ય મહારાજની આંખે ઓપરેશન કર્યું; આંખોનું શમી ગયેલું તેજ ફરી જાગી ઉઠડ્યું. આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના પોતાના અક્ષરો જોઈને મહારાજશ્રીનું હૈયું ગદ્ગદ્ થઈ ગયું. મહારાજશ્રીની આંખો હર્ષનાં આંસુ વહાવી રહી. પ્રસન્ન વૈરાગ્ય અને સંવેદનશીલ હૃદયનું આ જ પરિણામ !
અનેક દુઃખી-ગરીબ, ભાઈઓ-બહેનો તો મહારાજશ્રી પાસે આશ્વાસન અને સહાય મેળવવા આવતાં જ; પણ સાધ્વી-સમુદાયને માટે તો તેઓ વિશાળ વડલા અને વત્સલ વડીલ જેવા હતા. પોતાના સમુદાયનાં સાધ્વીજીઓને જ એમની મમતાનો લાભ મળતો એવું નથી. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વીજીઓ એમની પાસે સંકોચ વગર જઈ શકતાં અને એમની પાસેથી દરેક જાતની સહાય મેળવી શકતાં, એટલું જ નહીં, પોતાની મૂંઝવણ, ભૂલ કે જરૂરિયાત વિશ્વાસપૂર્વક તેઓને કહી શકતાં. આવી બાબતમાં તેઓ સાગર સમા ગંભીર અને મેઘ સમા ઉપકારી હતા. જેઓને મહારાજશ્રીના નજીકના પરિચયમાં આવવાનો અવસર મળ્યો છે, તેઓ જાણે છે કે વયોવૃદ્ધ સાધ્વીજીઓના ધર્મપુત્ર, મોટાં સાધ્વીજીઓનાં ધર્મબંધુ અને નાની ઉંમરનાં સાધ્વીજીઓનાં ધર્મપિતા બનીને એમની દરેક રીતે સંભાળ રાખવી એમને પોતાનો વિકાસ સાધવાનું પ્રોત્સાહન આપવું એ મહારાજશ્રીને માટે બહુ સહજ હતું. આવી કે બીજી કોઈ પણ બાબતમાં જ્ઞાનીપણાનો ભાર એમના મમતાભર્યા વ્યવહારની આડે ન આવી શકતો.
સાધ્વી-સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હૈયે કેવી વસેલી હતી એ અંગે તેઓએ કહ્યું હતું કે–
શ્રી પુણ્યરિત્રમ્
47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org